
Budget: બજેટમાં પહેલી નજરે સામાન્ય લોકોને કોઈ ફાયદો થાય તેવું કઈ દેખાતું નથી, પહેલી નજરે એવું લાગે કે આ બજેટ નગારે એટલે કે ઢોલ વગાડીને જોર જોરથી જાહેરાત કરવી તગારે એટલે કે માટી ખોદવી પાછી પુરી દેવું આમ ખોદવું અને પુરવું કર્યા કરવું જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સિવાય કંઈ થવાનું નથી.
અને પગારે એટલે કે પંચાયત સહિતના સરકારી કર્મચારીઓનો પગાર વધીને રૂ.છ હજાર છસ્સો એસી કરોડ થવાનો છે,આમાં કર્મચારીઓની સંખ્યા વધવા કરતા પગાર લગભગ રૂ.1500 થી 1600 કરોડ વધ્યો છે, બજેટમાં પછાત વિસ્તારો માટે કોઈ ધ્યાન અપાયું નથી, સામાન્ય જનતાને સીધો કોઈ ફાયદો થાય તેવું લાગતું નથી.
બીજું કે સરકાર પેન્ડિંગ બિલો ચૂકવી શકતી નથી જે કરોડોના બિલો બાકી છે ત્યારે બજેટમાં જે વાતો કરવામાં આવી છે તે ઘણું બધું વધારે પડતું લાગી રહ્યું છે.
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27ના બજેટનું કુલ કદ રૂ. ચાર લાખ આઠ હજાર 53 કરોડ રહ્યું , જે ગત વર્ષની સરખામણીમાં રૂ. 37 હજાર 803 કરોડ જેટલું વધારે છે પણ તેનો ફાયદો કોને થશે? ગરીબ-મધ્યમ-ખાનગી નોકરિયાતને કેટલો ફાયદો થશે?
આ બજેટ ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલ અને પત્રકાર ઉમેશ રોહિતે વિગતે ચર્ચા કરી છે જેમાં મહત્વના પાસા ઉપર વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ, પ્રસ્તુત છે વિડીયો.









