jamnagar: પાટીદાર પરિવારના 21 સભ્યોનો જીવન ટૂંકાવવાનો નિર્ણય, સાંસદ પૂનમબેન માડમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ

jamnagar: ગુજરાતના રાજકીય કક્ષામાં આજે એક એવો હલચલ મચ્યો છે, જે આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જોવા મળી રહ્યો છે.  એક જ પરિવારના 21 સભ્યો, જેમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે, તેમણે સામૂહિક આત્મહત્યાની લેખિત જાહેરાત કરી દીધી છે. જામનગર તાલુકાના લોઠિયા ગામમાં રહેતા ખેડૂત પરિવાર રાણપરિયા (પટેલ) પર ભાજપના સાંસદ પૂનમબેન માડમ, પોલીસ અધિકારીઓ અને સ્થાનિક રાજકારણીઓના કથિત ત્રાસથી તોતલી પડ્યું છે. આ મામલે પરિવારે 31 ઓક્ટોબર સુધીમાં નિષ્પક્ષ તપાસની માંગ કરી છે, નહીં તો જામનગર-લાલપુર રોડ પર તેમની ઓફિસમાં જીવન ટૂંકાવવાની ચીમકી આપી છે. આ ઘટના ન માત્ર પાટીદાર સમુદાયમાં ભાજપ વિરુદ્ધ ગુસ્સાની આગ લગાવી રહી છે, પણ રાજ્યના વહીવટી તંત્ર પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.

ત્રાસની કેવી રીતે થઈ શરૂઆત ?

રાજકીય દ્વેષથી ખોટા કેસોની શૃંખલા પરિવારના વડીલ મૂળજીભાઈ બાવનજીભાઈ રાણપરિયાની લેખિત ફરિયાદ મુજબ, આ અત્યાચારોની શરૂઆત 11 ડિસેમ્બર 2024 થી થઈ. તેમના નાના પુત્ર ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ એક બાદ એક ખોટા કેસો દાખલ થવા લાગ્યા. તાજેતરમાં, સુધાબેન લાલજીભાઈ મારકણા દ્વારા ધર્મેશ અને અન્ય ચાર વ્યક્તિઓ વિરુદ્ધ રાજકીય ઈશારાથી એક નવો કેસ નોંધાયો, જેના કારણે ધર્મેશને અનેક વખત અટકાયત કરવામાં આવી. પરિવારનો દાવો છે કે આ બધું સંસદસભ્ય પૂનમબેન માડમ, જામનગરના એસ.પી., એલસીબી પી.આઈ. લગારીયા, સીટી-એ ડિવિઝન પી.આઈ. નિકુંજ ચાવડા અને હસુ પેઢડીયા જેવા વ્યક્તિઓના દ્વેષભાવથી થઈ રહ્યું છે.

પોલીસ કસ્ટડીમાં ત્રાસ અને વધુ વધ્યો

ધર્મેશને ટોર્ચર કરવામાં આવ્યો, મહિલાઓ અને વડીલો સાથે મારપીટ થઈ, અને વોરંટ વિના ઘરમાં ઘૂસીને અત્યાચાર કરાયા. સીટી ડીડીવાયએસપી ઝાલા જેવા અધિકારીઓએ સાક્ષી ન આપવાની ધમકી પણ આપી. પરિવારે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટનો રસ્તો અપનાવ્યો, પણ 28 જાન્યુઆરી 2025 ના રોજ અરજી નામંજૂર થઈ. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જેણે 12 ફેબ્રુઆરી 2025 ના રોજ તપાસ પર સ્ટે આપ્યો. પણ, આદેશની અવગણના કરીને 26 સપ્ટેમ્બર 2025 ના રોજ ફરી એ જ કેસમાં નવી ફરિયાદ નોંધાઈ જેને પરિવાર ‘પરેશાન કરવાનું હથિયાર’ કહે છે.

પરિવારે કરી ન્યાયની માંગ

પરિવારે રાજકોટ રેન્જ આઈજી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, ડીએસપી જામનગર, એલસીબી, માનવ અધિકાર આયોગ અને બાળ કલ્યાણ વિભાગને લેખિત ફરિયાદ મોકલી છે. તેઓએ સ્પષ્ટ માંગ કરી છે કે,પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ આરોપીઓ (પૂનમબેન, હસુ પેઢડીયા, પોલીસ અધિકારીઓ)ના મોબાઈલ સીડીઆર હોસ્પિટલના તબીબી રેકોર્ડ્સ નિષ્પક્ષ ફોરેન્સિક તપાસ થાય, જેથી સત્ય બહાર આવે. પરિવારનું કહેવું છે કે આ બધું રાજકીય સત્તાના દુરુપયોગથી થઈ રહ્યું છે, અને જો તપાસ ન થઈ તો 31 ઓક્ટોબરે તેઓ જીવનનો અંત લાવશે.

ભાજપી ‘આપદા’ અને પાટીદારોનો ગુસ્સો

આ ઘટના પાટીદાર સમુદાયમાં ભાજપ વિરુદ્ધ ભારે ક્રોધ પેદા કરી રહી છે. જામનગર જેવા વિસ્તારમાં પટેલોનો મતબેંક હોવાથી, આ મામલો રાજ્ય વ્યાપી વિવાદમાં ફેરવાઈ શકે છે. સ્થાનિક વર્તુળોમાં ચર્ચા છે કે આ ‘ભાજપી આપદા’ પાર્ટીના સ્થાનિક નેતૃત્વની નિષ્ફળતા દર્શાવે છે, અને પોલીસ-રાજકારણના મેલ-મિલાપથી નાગરિકોના અધિકારો પર ચોટ પહોંચી રહ્યા છે.

આ મામલે પરિવારના સભ્યએ ધ ગુજરાત રિપોર્ટ સાથે વાત કરતા અનેક મોટા ખુલાસા કર્યા હતા. જેમાં જામનગરના સાંસદ પૂનમ માંડમ, પરિમલ નથવાણી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા શું કહ્યું  જુઓ વીડિયો…

આ પણ વાંચો: 

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?

Abrar Ahmed: ‘હું ભારતીય ક્રિકેટર શિખર ધવનને મુક્કો મારવા માંગુ છું!’, પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહેમદનું વિવાદાસ્પદ નિવેદન

પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2

UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!

Related Posts

PM Modi News:”અમરસિંહ ચૌધરીને ઉંધે ઘોડે બેસાડીશું” ભાજપના નેતાઓ અભદ્ર વાતો કરતા આવ્યા
  • November 8, 2025

PM Modi News: હાલમાં બિહારમાં ચૂંટણી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં કેટલાક ઉલટ પુલટ નિવેદનો કરી રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી કે, તેઓ આ પ્રકારના નિવદેનો આપી…

Continue reading
Ahmedabad: ચૂંટણી ટાણે દારુ, ચવાણું વહેંચનારાઓ વિશાળ ડિમોલિશન થયું પણ ના ફર્યા, સ્થાનિકોએ BJP સરકારને શું કહ્યું?
  • November 7, 2025

Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરી વિકાસના માર્ગમાં મહત્વની કડી તરીકે રણુજાનગર વિસ્તારમાં  ગઈકાલે વિશાળ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોધપુર વોર્ડ નં. 20માં આવેલા આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં ‘વિશ્વગુરુ’ વધુ મોંઘા પડ્યા!, માત્ર પબ્લિસિટી માટે મિડિયાને રુ. 4,894 કરોડ ચૂકવ્યા, જુઓ વધુ ખૂલાસા

  • November 11, 2025
  • 4 views
PM Modi: સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં ‘વિશ્વગુરુ’ વધુ મોંઘા પડ્યા!, માત્ર પબ્લિસિટી માટે મિડિયાને રુ. 4,894 કરોડ ચૂકવ્યા, જુઓ વધુ ખૂલાસા

“વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, લોકો માટે કેમ નહીં?” ધારાસભ્ય Chaitar vasava એ ઉઠાવ્યા સવાલો

  • November 11, 2025
  • 2 views
“વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, લોકો માટે કેમ નહીં?” ધારાસભ્ય Chaitar vasava એ ઉઠાવ્યા સવાલો

Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

  • November 11, 2025
  • 16 views
Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

  • November 11, 2025
  • 15 views
 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

  • November 11, 2025
  • 19 views
Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

  • November 11, 2025
  • 20 views
Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના