
■ આશ્રમનો ગેટ હંમેશા બંધ કેમ રહે છે? અને VIP ગેસ્ટ માટે ત્યાં શું ખાસ પ્રકારની વિશેષ વ્યવસ્થા હોય છે?
■ જૂનાગઢના અખાડામાં સર્જાયું મહાભારત : અમરગિરી બાપુએ ઈન્દ્રભારતી બાપુ પર “એપ્સ્ટીન” જેવુ જ કરતા હોવાનો ધડાકો કરી હાહાકાર મચાવ્યો છે!
Junagadh: સોશિયલ મીડિયા ઇન્ફ્યુલર કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન બાદ જે રીતે સમગ્ર વિવાદ સામે આવ્યો ત્યારબાદ હવે આ પ્રકરણમાં સાધુ સમાજમાં આંતરિક વિખવાદો વધ્યા તેમાંય હવે રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુ ઉપર પણ આક્ષેપો શરૂ થઈ ગયા અને આ બધા વચ્ચે હવે એક પત્રિકા વાયરલ થઈ જેમાં ઈન્દ્રભારતી બાપુ ઉપર ગંભીર આક્ષેપો કરાયા છે ત્યારે આ બધા વચ્ચે હવે અમરગિરી બાપુએ ઈન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપ કરી તેઓને સીધા અમેરિકાના યૌન શોષણ અપરાધી જેફરી એપ્સ્ટીન સાથે સરખાવી દેતા ભારે હોબાળો મચી ગયો છે.
ભવનાથના અમરગિરી બાપુએ ઈન્દ્રભારતી બાપુ સામે અત્યંત ગંભીર ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, “રૂદ્રેશ્વર જાગીરમાં જે ચાલી રહ્યું છે તે તપાસનો વિષય છે કારણકે અહીં ચાલતી પ્રવૃત્તિઓ અમેરિકાની કુખ્યાત ‘એપસ્ટીન ફાઈલ’કરતા પણ વધુ ગંભીર છે,તેમણે ઉમેર્યું કે સાધુના વેશમાં રહીને ‘કુકર્મ’ કરનારાઓના કપડાં ઉતરાવી લેવા જોઈએ.
આ સિવાય વાયરલ પત્રિકાએ પણ ભારે વિવાદ જગાવ્યો છે.
■ વાયરલ પત્રિકામાં શું છે?જાણો
હાલમાં ‘સનાતન ધર્મના શુભચિંતક’ના નામે વાયરલ થયેલી પત્રિકામાં ઈન્દ્રભારતી બાપુ અગાઉ કોણ હતા અને ક્યાંથી આવ્યા વગરે ભૂતકાળની વાતો કહેવામાં આવી છે જે વિગત આ મુજબ છે.
●ઈન્દ્રભારતી બાપુનું મૂળ નામ અરવિંદ ગોસ્વામી હોવાનો દાવો કરાયો છે.
● ઈન્દ્રભારતી બાપુના મુંબઈ અને ઘાંટવડ સાથેના તેમના કનેક્શન અને ગુનાહિત પ્રવૃત્તિઓ સહિત
આર્થર રોડ જેલમાં રહયા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
● ઈન્દ્રભારતી બાપુ ચાની કીટલી અને સેલ્સમેન તરીકે કામ કરતા હતા ત્યારે તેઓ પાસે અચાનક આટલી સંપત્તિ ક્યાંથી આવી?
● આશ્રમનો ગેટ હંમેશા બંધ કેમ રહે છે? અને VIP ગેસ્ટ માટે ત્યાં શું ખાસ પ્રકારની વિશેષ વ્યવસ્થા હોય છે?
આમ,આડકતરી રીતે એપસ્ટીન ફાઈલ ટાઈપનું અહીં કઈક થઈ રહયના આરોપો લાગ્યા છે.
આ મુદ્દે ખાસ વિશ્લેષણ જોવા નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.









