
Tahawwur Rana’s extradition: 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લવાશે. યુએસ સુપ્રીમ કોર્ટે શુક્રવારે પ્રત્યાર્પણ(Extradition)ને મંજૂરી આપી દીધી છે. કોર્ટે આ કેસમાં તેની સજા સામેની તેમની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. પાકિસ્તાનમાં જન્મેલા કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા પર ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે.
તહવ્વુર રાણાએ છેલ્લી તક ગુમાવી
નીચલી અદાલતો અને અનેક ફેડરલ અદાલતોમાં કાનૂની લડાઈઓ હાર્યા બાદ, તહવ્વુર રાણાએ છેલ્લે સાન ફ્રાન્સિસ્કોમાં ઉત્તરી સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સનો સંપર્ક કર્યો હતો. રાણાને ભારત પ્રત્યાર્પણ ન કરાવવાની આ છેલ્લી કાનૂની તક હતી. જે તેણે ગુમાવી દીધી છે. ત્યારે હવે કોર્ટે તેને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી છે.
ગંભીર આરોપો
ઉલ્લેખનીય છે કે રાણા પર ડેવિડ હેડલીને મદદ કરવાનો ગંભીર આરોપ છે. તેણે આ હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મુંબઈમાં રેકી કરવામાં મદદ કરી હતી. ભારતે યુએસ કોર્ટમાં 26/11 હુમલામાં લક્ષ્યોની રેકીના મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.
2009 માં ધરપકડ કરાઈ હતી
તેની 2009 માં શિકાગોથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ISI અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનો પણ આરોપ છે. આ ઉપરાંત, તેને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કાર્યકર્તા છે.
આ પણ વાંચોઃ સતત ભાવ વધારા બાદ Amulએ દૂધનો ભાવ પ્રતિ લીટરે 1 રુપિયાનો ઘટાડો કર્યો