
GPSC દ્વારા આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા યોજવાની છે. જે અંગે GPSC ચેરમેન હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે માહિતી આપી હતી કે આવતીકાલે સવારે 11 થી બપોરે 1 વાગ્યા વચ્ચે પરીક્ષાનું આયોજન કરાશે, જેમાં 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.
રાજ્યભરમાં વિવિધ 745 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે
રાજ્યભરમાં વિવિધ 745 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. આ અંગે માહિતી આપતા GPSC ચેરમેન હસમુખ પટેલે મીડિયાને જણાવ્યું કે, રાજ્યભરમાંથી 1 લાખ 85 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપશે. પરીક્ષા સવારે 11 થી બપોરનાં 1 વાગ્યા વચ્ચે યોજાશે. તેમણે માહિતી આપી કે, ઉમેદવારો માટે GSRTC દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોનો સામાન પરીક્ષા કેન્દ્રોનાં કેમ્પસમાં મૂકવા માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
ઉમેદવારો પરીક્ષા દરમિયાન પાણીની બોટલ, પેડ, સાદી કાંડા ઘડિયાળ પરીક્ષા કેન્દ્રોમાં લઈ જઈ શકશે.