ગુજરાતની આ હોસ્પિટલમાં કર્યો મહિલા ડોક્ટરે આપઘાત, જાણો કારણ?

  • Gujarat
  • January 10, 2025
  • 0 Comments

સુરતમી નવી સિવિલમાં ઇન્ટર્ન ડોક્ટરે આપઘાત કરી લીધો છે. 24 વર્ષીય જાનવી નામની યુવતીએ ઘરે પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાધો છે. મૃતક MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તરીકે જોડાઇ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

યુવતી  માનસિક તણાવમાં હતી

મૃતક યુવતી અભ્યાસ મુદ્દે 2 વર્ષથી માનસિક તણાવમાં રહેતી હોવાનું બહાર આવ્યું છે. યુવતીને ટેન્શન રહેતું હોવવાથી દવાઓ લેતી હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીએ આપઘાત કરી લીતાં પરિવાર આઘાતમાં ડૂબી ગયો છે.

 

ગુજરાતમાં આપઘાતનું પ્રમાણ, તાજેતરનો  એક રિપોર્ટ

સપ્ટેમ્બર 2019થી ઓગસ્ટ 2024 સુધીના સમયગાળામાં 104 હેલ્પલાઇન ઉપર સૌથી વધુ માનસિક બીમાર 2977 વ્યક્તિઓએ કૉલ કરીને કાઉન્સિલિંગ લીધું. સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી 2125 કૉલ નોંધાયા. સૌથી વધારે 36થી 45 વય જૂથના 2064 લોકોએ હેલ્પલાઇનની મદદ લીધી. ત્યારબાદ 25થી 35 વયજૂથના 1799 અને 16થી 24 વયજૂથના 588 લોકોએ કૉલ કર્યા જેમને આપઘાત ન કરવા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું. હેલ્પલાઇનને કૉલ કરવામાં 69 ટકા પુરૂષો અને 31 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, શિક્ષણના કારણે આપઘાત કરવાનો વિચાર આવનાર 55 લોકોને કાઉન્સિલિંગ આપવામાં આવ્યું હતું.

કેટેગરીકૉલ
માનસિક બીમારી2977
પરિવાર સંબંધિત1668
રોમેન્ટિક સંબંધો355
આર્થિક180
અન્ય113
મેડિકલ બીમારી78
શારીરિક/જાતિય સતામણી67
શિક્ષણ55
કુલ5493
(સ્રોત: 104 મેડિકલ હેલ્પલાઇન)

ભારતમાં 6 વર્ષમાં 9,92,535એ આત્મહત્યા કરી

ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કરી લીદ સરેરાશ દરરોજ 400થી વધુ લોકો આપઘાત કરી રહ્યા છે.  આર્થિક સમસ્યા બેરોજગારી, ગંભીર સમસ્યાઓ , ઘરની મુશ્કેલી, પ્રેમ પ્રકરણ જેવા કારણો આત્મહત્યા માટે જવાબદાર છે.

ગુજરાતમાં રોજ 24 લોકોનો આપઘાત

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી. એટલે કે ગુજરાતમાં દરરોજ 24 લોકો કોઈના કોઈ કારણે આત્મહત્યા કરે છે. આત્મહત્યા વધવાનાં સામાજિક પરિબળો ઓછી સહનશક્તિ, મોંઘવારી અને આર્થિક સંકડામણ, વધુ પડતી મહત્વકાંક્ષા, સમસ્યાના નિવારણ માટે ક્ષમતા ઓછી હોવી, તીવ્ર હરીફાઈ, ઈર્ષા અને દેખાદેખી, નશાકારક વસ્તુના સેવનમાં વધારો.

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચઃ હરિયાણાથી ભાવનગર જીલ્લામાં દારુની ડિલિવરી, ટ્રકચાલકની ધરપકડ

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 3 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 6 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 20 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 8 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 22 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી