
સિનિયર IPS અભય ચુડાસમાએ તેમના પદ પરથી સ્વચ્છિક રાજીનામું આપી દીધું છે. નિવૃતિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. જો કે જાણવા મળી રહ્યું છે કે રાજ્ય સરકારે હજુ સુધી રાજીનામું સ્વીકાર્યું નથી.
હવે તેઓ સમાજ સેવામાં જોડાય તેવી શક્યતાઓ છે. IPS અભય ચૂડાસમા ઑક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા. જો કે તે પહેલા જ રાજીનામું આપી દેતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. તેઓ હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા, તેઓ 1998 બેચ ના IPS અધિકારી છે.
રાજકારમમાં જોડાવા અંગે શું કહ્યું હતુ?
અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ સહિત અન્ય મહત્ત્વના કેસ તેમણે ઉકેલ્યા છે. અગાઉ અનેક સામાજિક કાર્યક્રમમાં અભય ચુડાસમા ઉપસ્થિત રહી ચૂક્યા છે. ત્ચારે હવે તેઓ સમાજ સેવાના કાર્યોમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. તેઓ રાજનીતિમાં જોડાશે તેવી પણ અટકળો તેજ બની હતી. જો કે તેમને આ વાતનો છેદ ઉડાવ્યો હતો. તેમણે થોડા દિવસો પહેલા જ એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ કહ્યું હતું કે ‘હું રાજકારણમાં ક્યારેય જોડાઈશ નહીં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ.’ આ બાદ હવે રાજીનામું આપી દીધું છે.
છેલ્લા ઘણા સમયથી તેઓ સાઈટ પોસ્ટિંગમાં હતા અને તેમને મહત્ત્વની પોસ્ટિંગ મળશે તેવી અટકળો પોલીસબેડામાં હતી, ત્યારે તેમણે અચાનક રાજીનામું આપી દેતા તમામ અટકળોનો અંત આવ્યો છે.
આ પણ વાંચોઃ Mehsana News: નિતિન પટેલે માર્યો યુટર્નઃ જમીન દલાલ નિવેદન અંગે કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું?