
Ahmedabad: વ્યાયામ શિક્ષકો ઘણા સમયથી પોતાની માંગોને લઈ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યાયામના શિક્ષકોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. ત્યારે વ્યાયામ શિક્ષકોના સમર્થનામાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી બહાર NSUI દ્વારા વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ. NSUIના કાર્યકર્તાઓએ રસ્તા બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતુ.
પ્રમુખે જણાવ્યું હતું કે સરકારા દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. ત્યારે અમે શિક્ષકોની કાયમી ભરતીની માંગણી સાથે શિક્ષકોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયના પોલીસે બળજબરીપૂર્વક અટકાયત કરી છે. જો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નહી આવે તો આગામી સમયમાં રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
જો કે આ ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. બીજી તરફ વ્યાયમ શિક્ષકો સાથે આરોગ્યકર્મીઓ પણ પોતાની માંગોને લઈ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. જેથી સરકાર જબરજસ્ત રીતે ઘરાઈ છે. સરાકર આંદોલનોને ડામી દેવાનો પ્રયાસ કરી રહી છે. જો કે હવે કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે.
આ પણ વાંચોઃ Valsad: બાળક અને પત્નીને ઝેરી આપી પતિએ કર્યો આપઘાત, શું છે કારણ?
આ પણ વાંચોઃ ઇજિપ્તના લાલ સમુદ્રમાં સબમરીન ડૂબી, 6 લોકોના મોત, 29ના જીવ બચ્યા | Tourist Submarine
આ પણ વાંચોઃ Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?
આ પણ વાંચોઃ હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish