
Ahmedabad Cricket News: આજે 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની અંતિમ મેચમાં ભારત વ્હાઇટવોશ કરવા માટે ઉતરશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે મેચ દરમિયાન એક અનોખું સામાજિક અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન “Donate Organs, Save Lives” નો ઉદ્દેશ્ય લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. BCCIના અધ્યક્ષ જય શાહે આ અભિયાનની જાહેરાત કરી છે અને આ અભિયાનની અનોખી શરૂઆતની માહિતી આપી છે.
T20 સીરિઝ પર કબજો કર્યો બાદ ભારતે ઈંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ પણ જીતી લીધી છે. ભારતીય ટીમ 2-0થી આગળ છે અને અંતિમ વનડે માટે બન્ને ટીમો તૈયાર થઈ ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ સીરિઝ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Weather: ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ!, સ્વાસ્થ્યનું રાખો ખાસ ધ્યાન? જુઓ અંબાલાલે શું કહ્યું?