Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

મહેશ ઓડ

Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે આખું વિમાન તૂટી ગયું, લોકો મરી ગયા પણ ભગવત ગીતાને કઈ ન થયું. આ પ્રકારની ઘણી રિલ્સ અને સમાચાર સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.  જોકે સવાલ એ થાય છે કે ભગવત  ગીતા બચી તો પ્લેનમાં બેસનાર લોકો અને હોસ્ટેલમાં રહેનારા લોકોએ શું ગુનો કર્યો હતો કે તેમના મોત થયા?.

મિડિયા ભગવત ગીતા પુસ્તક સહીસલાત મળી આવવાના કારણને ચમત્કાર ગણાવી રહ્યું છે. ચત્કાર હોય તો કોઈએ પોતાના સ્વજનોન ગુમાવ્યા હોત?.

લોકો ભગવત ગીતા સલામત મળતાં શ્રધ્ધા અને આસ્થા સાથે જોડી રહ્યા છે અને તે ઠેરવી રહ્યું છે કે તે ભગવન ગીતા હતી એટેલ કંઈ ન થયું. તો વિમાનમાં બેસનારા અને હોસ્ટેલમાં રેહનારા ઈન્ટર્ન ડોક્ટરોએ શું પાપ કર્યા હશે!

મિડિયાને દરેક મુદ્દાને ધાર્મિક સંવેદનાનો સાથે જોડી ચગાવવામાં મજા આવે છે. તે સરકારને સવાલ પૂછતું નથી કે, કેમ વિમાન તૂટ્યું?, વિમાનનું સંચાલન કરતી કંપનીની શું બેદરકારી છે?

દાવો કરાઈ રહ્યા છે કે વિમાનમાં અગાઉ પણ ખામી હોવાનું બહાર આવ્યું હતુ. પણ ધ્યાન ન આપવામાં આવ્યું. જેના કારણે લોકો જીવ ગુમાવવાનો વારો આવ્યો. જો પહેલેથી જ સરકારે ધ્યાન આપ્યુ હોત તો આવી ઘટના ન સર્જાઈ હોત. હવે તંત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢાલવવા બેસી ગયું છે.

લોકો હજુ પણ એ માનવા તૈયાર નથી કે ભગવદ ગીતા બચી હોય તો તેનું કારણ ભૌતિક હોઈ શકે. ઉદાહરણ તરીકે, પુસ્તક કોઈ બેગ, લગેજ કે ધાતુના કન્ટેનરમાં હોઈ શકે, જે ગરમી અને આગથી થોડું સુરક્ષિત રહ્યું હોય કે પછી બીજું કંઈ કરાણ હોય. પણ લોકોને પણ કોઈપણ ઘટનાને ધર્મ સાથે જોડી દેવાની મજા આવે છે.

આ ઘટનામાં માત્ર એક વ્યક્તિ બચી છે. જેને પોતાની આપવીતી વર્ણવી છે. તે કેવી રીતે બહાર નિકળ્યો. તેમાં પણ નેતાઓ અને લોકો શંકા કરી રહ્યા છે. બચી ગયેલા લોકોને મિડિયા અને નેતાઓ જીવવા દેતા નથી.

ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી હોવા છતાં હોસ્પિટલમાં ઘૂસી ઘૂસીને તેને વાત કરાવવાનો પ્રયાસ કરે છે. મિડિયા પણ તમે કેવી રીતે બચી ગયાના સવાલો સતત કરતી રહે છે. આવા સમયે કોઈ નેતા કે મિડિયાને હોસ્પિટલની અંદર ઘૂસવા ન દેવા જોઈએ. આ માટે કડક નિયમો પણ બનાવવા જોઈએ. મિડિયા કે નેતાઓ અંદર ઘૂસે એટલે સારવાર કરતાં ડોક્ટરોને જ મુશ્કેલી સર્જાઈ છે. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિ પણ ખૂબ હેરાન પરેશાન થાય છે. વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વિશ્વાસકુમાર રમેશના હાવાભાવ પરથી ખબર પડી રહી હતી કે તે નેતાઓ અને મડિયાએ તેને કેટલો હેરાન કર્યો છે.

તેમાં પણ દેશના વડાપ્રધાન મોદી મળવા ગયા. જેમાં પણ ઘણી અગવડ પડી હશે!. અહીં મોદીએ અલગ અલગ એંગલથી પોતાના ફોટા લેવડાવ્યા. અલગ અલગ એંગલથી જ ફોટો શૂટીંગમાં જ જાણે રસ હોય. મોતનો મલજો પણ જળવાયો ન હોય તેવા દ્રશ્ય સર્જાયા છે.  આવા લોકો માટે શું કરવું તે તમે નક્કી કરો.

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ
  • August 6, 2025

Karnataka Viral Video: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર મંગળવારે, 5 ઓગસ્ટ 2025ના રોજ બેંગલુરુના હેબ્બલ ફ્લાયઓવર પર સ્કૂટી ચલાવતા જોવા મળ્યા હતા, જેની ચર્ચા આજે ચારેકોર થઈ રહી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 10 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 5 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 8 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 18 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 31 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

  • August 6, 2025
  • 10 views
Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના