Ahmedabad Plane Crash: ગુજરાત પોલીસે પ્લેનનો વીડિયો ઉતારનાર માસૂમ આર્યનને મનથી તોડી નાખ્યો?

Ahmedabad Plane Crash: 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ભયંકર વિમાન દુર્ઘટનાનો ભોગ બની આ અકસ્માતમાં ઓછામાં ઓછા 274 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બની તેની થોડીક ક્ષણોમાં જ દુર્ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો. આ વીડિયો 17 વર્ષના સગીરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. તેનું નામ આર્યન અસારી નામ છે. તેને જણાવ્યું હતુ કે, તેને પહેલીવાર નજીકથી પ્લેન જોયું જેથી તેમના ગામ લોકો અને મિત્રોને બતાવવા માટે તેને વીડિયો બનાવ્યો હતો પરંતુ આ વીડિયોએ તેની જીંદગી બદલી નાખી. વીડિયો બનાવ્યા બાદ હાલમાં આ કિશોરની હાલત કેવી છે તે અંગે જાણવા બીબીસી ન્યુઝએ આ સગીરના પિતાનો ઈન્ટરવ્યું લીધો હતો.

પ્લેન ક્રેશનનો વીડિયો ઉતારનાર આર્યનની જીંદગી બદલાઈ

આર્યનના પિતા મગનભાઈ અસારીએ બીબીસી ન્યુઝને જણાવ્યુ્ં હતુ કે, આ ઘટના પછી તે આઘાતમાં છે. તેની આર્યન પર એટલી ગંભીર અસરથઈ છે કે આર્યને વિમાનો જોવાનો ખૂબ શોખ હતો. તેને વિમાનનાં એન્જિનનો ગર્જના કરતો અવાજ ખૂબ પસંદ હતો. પરંતુ હવે આર્યન તેના વિચારથી પણ કંપી જાય છે. વધુમાં તેઓ જણાવે છે કે, આયર્ન એટલો બધો ડરી ગયો છેકે, તેણે પોતાનો ફોન વાપરવાનું પણ બંધ કરી દીધું છે.

વધુમાં આર્યનના પિતા જણાવે છે કે તેમને ઈન્ટરવ્યું માટે પત્રકારો આર્યન સાથે વાત કરવા માગે છે જેથી પત્રકારો દિવસ-રાત અમારા ઘરની આસપાસ આંટા મારે છે.

પિતાએ આર્યનની હાલત વિશે શું કહ્યું ?

આર્યનના પિતા મગનભાઈ અસારી નિવૃત્ત લશ્કરી સૈનિક છે તેઓ હાલમાં મેટ્રો સેવામાં કામ કરે છે. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી ઍરપૉર્ટની નજીકના વિસ્તારમાં રહે છે. તાજેતરમાં જ તેઓ ત્રણ માળની એક ઇમારતના ધાબા પર આવેલા એક નાના રૂમમાં રહેવા ગયા હતા. તેમનાં પત્ની અને બે બાળકો આર્યન અને તેમનાં મોટી બહેન ગુજરાત અને રાજસ્થાન રાજ્યોની સરહદ નજીક આવેલા તેમના પૈતૃક ગામમાં રહે છે. પિતાના જણાવ્યા મુજબ આર્યન વિમાનનો શોખીન હતો જ્યારે આર્યનની પિતા સાથે વાતથતી ત્યારે તે તેના પિતાને પૂછતો હતો કે, શું હું આપણા ધાબા પરથી વિમાનો જોઈ શકું ત્યારે તેના પિતા કહેતા કે હા તું એને આકાશમાં લહેરાતા જોઈ શકીશ.” મગનભાઈની પુત્રી પોલીસ અધિકારી માટેની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી ત્યારે આર્યનને અમદાવાદ આવવાની તક મળી, આ ઘટના બની ત્યારે આર્યન પહેલી વખત અમદાવાદમાં આવ્યો હતો.

આર્યન હજુ પણ આઘાતમાં

વધુમાં પિતા જણાવે છે કે, આર્યને તેના મિત્રોને બતાવવા માટે ઘરનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેણે ઍર ઇન્ડિયાનું વિમાન જોયું અને તેનો વીડિયો બનાવ્યો તે દરમિયાન તેને વિમાનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તેવો ખ્યાલ આવ્યો. પરંતુ તે સમજી ન શક્યો કે શું થઈ રહ્યું છે. જ્યારે તેને ને ઇમારતોમાંથી આગ ફેલાતી દેખાઈ ત્યારે તેને આખરે ખ્યાલ આવ્યો કે કંઈક અજુગતું થયું છે. જે બાદ આર્યને તેના પિતાને વીડિયો મોકલ્યો અને તેમને ફોન કર્યો અને તેને તેના પિતાને કહ્યુ કે, “મેં આ જોયું પપ્પા, મેં આ વિમાનને તૂટી પડતા જોયું,’ એમ કહીને મને પૂછતો રહ્યો કે હવે તેનું શું થશે. મેં તેને કહ્યું કે શાંતિ રાખ અને ચિંતા ન કર. આ વાત કરતા તે ખુબ જ ભયભીત જણાતો હતો”ત્યારે પિતાએ તેને વીડિયો વધુ શૅર ન કરવા કહ્યું હતું. જોકે, ખૂબ ડરી ગયેલા અને આઘાત પામેલા આર્યને આ વીડિયો તેના કેટલાક મિત્રોને મોકલ્યો અને તે થોડા સમયમાં બધે વાયરલ થઈ ગયો. જે બાદ આર્યન અને તેના પરિવારના કપરા દિવસો શરુ થયા. મીડિયા અને પોલીસે આર્યનને હેરાન કર્યો. પોલીસ આર્યનને લઈ ગઈ હતી અને તેને શું જોયું તે વીશે પૂછતાછ કરી હતી. ત્યારે સગીરને બધા હેરાન કરતા હોવાથી પિતાએ તેને ગામમાં પાછો મોકલી દીધો છે. તે શાળાએ જાયછે પરંતુ હજુ પણ તે આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી હજુ પણ તે ખુબ ડરી રહ્યો છે.

રથયાત્રામાં લાખોનો ખર્ચ, અસરગ્રસ્તો માટે કંઈ નહીં?

મહત્વનું છે કે, આર્યન માત્ર 17 વર્ષનો છે, તેને અકસ્માતે આ વીડિયો બનાવ્યો પરંતુ આ તેને જાણે કે કોઈ મોટો ગુનો કર્યો હોય તેવું વર્તન તેની સાથે કરવામાં આવ્યું. જ્યારે કોઈ સગીર આટલી મોટી ઘટના જુએ ત્યારે તેના મગજ પર કેવી અસર થાય છે તેનો મીડિયા અને પોલીસે વિચાર ન કર્યો. આવી સ્થિતિમાં સરકારની ફરજ છે કે, તેમને આ છોકરાનું કાઉન્સેલિંગ કરવું જોઈએ જેથી તે આઘાતમાંથી બહાર આવી શકે પરંતુ સરકારે આ છોકરા માટે પણ કંઈ કર્યું નથી. તેમજ આ ઘટના બાદ આ વિસ્તારના આસપાસના લોકો પર પણ ગંભીર અસર થઈ છે. પરંતુ સરકારે તેમનું કાઉન્સલિંગ થાય તેવો પ્રયત્ન ન કર્યો. મહત્વનું છે કે, પહેલગામ આતંકી હુમલાનો બદલો લીધા વગર રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ સાથે ટ્ર્કને સણગારવા અને ટેબ્લો સહિતની વસ્તુઓ પર લાખોનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સરકાર આટલી મોટી ઘટના બની તેની જેમના પર અસર થઈ છે તેનો વિચાર સુદ્ધા પણ નથી કરતી? જેથી સંવેદનશીલ સરકારના દાવાઓ ફોક સાબિત થાય છે.

  • Related Posts

     AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”
    • October 31, 2025

    AAP Gujarat: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કડદા પ્રથા, ખેડૂતો પરના અત્યાચાર અને અન્ય મુદ્દાઓ પર…

    Continue reading
    Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?
    • October 31, 2025

    Ahmedabad: આજ રોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીને લઈને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીમાં અમદાવાદમાં યોજાયેલી ‘યુનિટી માર્ચ’ દરમિયાન એક નાની અણધારી ઘટના બની. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

    • October 31, 2025
    • 2 views
    Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

    Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

    • October 31, 2025
    • 7 views
    Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

    IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

    • October 31, 2025
    • 9 views
    IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

    Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

    • October 31, 2025
    • 11 views
    Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

     AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

    • October 31, 2025
    • 9 views
     AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું-  “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

    UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

    • October 31, 2025
    • 12 views
    UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…