Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

Ahmedabad: 12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં ટાટા કંપનીનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે 268 લોકોના મોત થયા. આમાં 241 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત ચાર વિદ્યાર્થીઓ, ત્રણ મેસ કર્મચારીઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. આ તો માત્ર સરકારી આંકડો છે પરંતુ આ ઘટનામાં 300 થી વધુ લોકોના મોતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હજુ તો ઘણા મૃતદેહોની ઓળખ નથી થઈ અને કેટલાક લોકો લાપતા હોવાની પણ વિગતો સામે આવી છે. ત્યારે આ દુર્ઘટનામાં લોકોની સાથે તંત્રની સંવેદનશીલતા પણ મરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, જે ડોક્ટર્સના મોત થયા છે તેમના શબ પડ્યા છે તેમજ ડોક્ટરના પરિવારજનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને અમને મકાન ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

તાત્કાલિક મકાન ખાલી કરવા ડોક્ટરો પર દબાણ

આ દુર્ઘટનાના શોકમાં ડૂબેલા ડોક્ટરો અને તેમના પરિવારો પર તંત્રની મનમાની ચાલી રહી છે. તંત્ર દ્વારા હોસ્ટેલના ડૉક્ટરોને રૂમ ખાલી કરવા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે ડો. અનિલ, એક આસિસ્ટન્ટ પ્રોફેસર, અને તેમની પત્ની, જેઓ પોતે પણ ડોક્ટર છે, તેઓ બળેલા ઘરનો સામાન ઉઠાવતા, ડો. અનિલ રડતાં રડતાં કહે છે, “જ્યારે વિમાન ક્રેશ થયું, હું અને મારી પત્ની હોસ્પિટલમાં ડ્યૂટી પર હતા. ઘરે મારી અઢી વર્ષની દીકરી અને કામવાળી હતાં. ધુમાડાથી મારી દીકરીની હાલત ગંભીર છે, અને હું અહીં સામાન ખસેડવા મજબૂર છું. અમારું અડધું ઘર બળી ગયું, પણ તંત્રને બે-ત્રણ દિવસની રાહ પણ નથી આપવી” આમ તેમને પોતાની વ્યથ્યા જણાવતા મકાન ખાલી કરવા માટે તંત્ર પાસે બે-ત્રણ દિવસનો સમય માંગ્યો છે.

રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ નહીં 

તપાસ માટે અસરગ્રસ્ત વિસ્તાર ખાલી કરાવવો જરૂરી હોઈ શકે, પરંતુ તંત્રની આ સંવેદનાહીન કાર્યવાહી શું દર્શાવે છે? શું આ લોકો ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ ભૂલી ગયા છે, કે પછી માનવતાનો અભાવ જ તેમની ઓળખ બની ગયો છે? જેમના ઘર બળી ગયા, જેમના પરિવારજનો હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહ્યા છે, તેમને બે દિવસનો સમય આપવામાં પણ તંત્રનો હાથ ધ્રૂજે છે? વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કે થોડી સહાયની વાત તો દૂર, આ લોકોને “તાત્કાલિક ખાલી કરો”નો ઓર્ડર આપી દેવાયો. શું આ ડોક્ટરો માણસ નથી?

મૃત નાગરિકોના આંકડા શા માટે છુપાવવામાં આવે છે? 

મૃત મેડિકલ વિદ્યાર્થીઓ અને નાગરિકોના આંકડા શા માટે છુપાવવામાં આવે છે? 19 મૃતદેહોની ઓળખ અને 15 લાપતા સફાઈ કર્મચારીઓનું શું? તંત્રની આ ગુપ્તતા અને ડોક્ટરો પરનું દબાણ શું દર્શાવે છે? આવા તો અનેક સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો:

Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી

Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય

Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

  • Related Posts

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
    • October 29, 2025

    UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

    Continue reading
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
    • October 29, 2025

    Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 1 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 3 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 18 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 20 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 19 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ