Ahmedabad plane crash: શું ભારતે ખરેખર બ્રિટિશ નાગરિકોના ખોટા મૃતદેહ સોંપી દીધા?,વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખૂલાસો!

  • India
  • July 24, 2025
  • 0 Comments

Ahmedabad plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે બ્રિટિશ નાગરિકોના પરિવારજનોને ખોટા મૃતદેહો સોંપવામાં આવ્યા હોવાના બ્રિટિશ મીડિયાના દાવાને વિદેશ મંત્રાલયે ફગાવી દીધો. મંત્રાલયે કહ્યું કે તમામ મૃતદેહો ખૂબ જ જટિલતાંપૂર્વક તપાસી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા, અને તેમની ગરિમાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જો કે બ્રિટનનો દાવો સાચો હોય તો આવું કેટલા પિડિતો સાથે થયું હશે તે પણ સવાલો ઉભા થાય છે.

12 જૂને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન દુર્ઘટનામાં સવાર 242 લોકોમાંથી 241 લોકો, જેમાં ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે, મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં 53 બ્રિટિશ નાગરિકોના મોત થયા હતા. જ્યારે જમીન પર 19ના લોકોના પણ મોત થયાનું સરકારે સ્વીકાર્યું હતુ.

ખોટા મૃતદેહ સોંપણી અંગે ભારતે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે “અમે ડેઇલી મેઇલનો અહેવાલ જોયો છે. આ મુદ્દાઓ અમારા ધ્યાન પર આવ્યા પછી અમે યુકે સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. દુર્ઘટના પછી, સંબંધિત અધિકારીઓએ સ્થાપિત પ્રોટોકોલ મુજબ મૃતકોની ઓળખ કરી હતી. અમે આ મુદ્દાને લગતી કોઈપણ ચિંતાઓને દૂર કરવા માટે બ્રિટિશ અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ.

બ્રિટિશ અખબારે શું દાવો કર્યો હતો?

બ્રિટિશ અખબારે બે પરિવારોને ટાંકીને પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિટિશ નાગરિકોના મૃતદેહ સોંપવામાં ભયંકર ગડબડ થઈ હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે શોકગ્રસ્ત પરિવારોને ફરી એકવાર ઊંડો દુઃખ સહન કરવો પડી રહ્યો છે કારણ કે તેમના પ્રિયજનોના મૃતદેહોને ઘરે મોકલતા પહેલા ખોટી રીતે ઓળખ કરવામાં આવી હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતકના સંબંધીઓને અંતિમ સંસ્કાર કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો કારણ કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેના શબપેટીમાં તેમના પરિવારના સભ્યને બદલે અજાણ્યા મુસાફરનો મૃતદેહ હતા. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં ખોટી ઓળખના બે કેસ નોંધાયા છે, વધુમાં શંકા છે કે આવું અનેક સ્વજનો સાથે થયું હશે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 171, જે બોઇંગ 787-8 દ્વારા સંચાલિત હતી, જે 12 જૂનના રોજ લંડનના ગેટવિક જઈ રહી હતી, તે અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા . આ સાથે જમીન પર 19 અન્ય લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો:

Rajasthan: કાકીને વશમાં લેવા કાકાએ ભત્રીજાની બલિ ચઢાવી, ભૂવાએ માગ્યું હતુ કલેજુ, વાંચી ભૂવા પરથી વિશ્વાસ ઉઠી જશે!

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

 

Related Posts

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!
  • August 6, 2025

 RAM RAHIM PAROLE: બળાત્કારી ડેરા પ્રમુખ ગુરમીત સિંહને 40 દિવસના પેરોલ જેલમાંથી છૂટો કરાયો છે. સુનારિયા જેલમાં બંધ હતો. મંગળવારે સવારે તેમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો.…

Continue reading
Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?
  • August 6, 2025

Renuka Chowdhury : રાજયસભામાં કોંગ્રસની સાસંદ રેણુકાએ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપ સરકારને સવાલો કર્યા હતા. એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 10 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 5 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 8 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 18 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 31 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

  • August 6, 2025
  • 10 views
Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના