Ahmedabad plane crash: શું ભારતે ખરેખર બ્રિટિશ નાગરિકોના ખોટા મૃતદેહ સોંપી દીધા?,વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખૂલાસો!

  • India
  • July 24, 2025
  • 0 Comments

Ahmedabad plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે બ્રિટિશ નાગરિકોના પરિવારજનોને ખોટા મૃતદેહો સોંપવામાં આવ્યા હોવાના બ્રિટિશ મીડિયાના દાવાને વિદેશ મંત્રાલયે ફગાવી દીધો. મંત્રાલયે કહ્યું કે તમામ મૃતદેહો ખૂબ જ જટિલતાંપૂર્વક તપાસી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા, અને તેમની ગરિમાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જો કે બ્રિટનનો દાવો સાચો હોય તો આવું કેટલા પિડિતો સાથે થયું હશે તે પણ સવાલો ઉભા થાય છે.

12 જૂને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન દુર્ઘટનામાં સવાર 242 લોકોમાંથી 241 લોકો, જેમાં ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે, મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં 53 બ્રિટિશ નાગરિકોના મોત થયા હતા. જ્યારે જમીન પર 19ના લોકોના પણ મોત થયાનું સરકારે સ્વીકાર્યું હતુ.

ખોટા મૃતદેહ સોંપણી અંગે ભારતે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે “અમે ડેઇલી મેઇલનો અહેવાલ જોયો છે. આ મુદ્દાઓ અમારા ધ્યાન પર આવ્યા પછી અમે યુકે સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. દુર્ઘટના પછી, સંબંધિત અધિકારીઓએ સ્થાપિત પ્રોટોકોલ મુજબ મૃતકોની ઓળખ કરી હતી. અમે આ મુદ્દાને લગતી કોઈપણ ચિંતાઓને દૂર કરવા માટે બ્રિટિશ અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ.

બ્રિટિશ અખબારે શું દાવો કર્યો હતો?

બ્રિટિશ અખબારે બે પરિવારોને ટાંકીને પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિટિશ નાગરિકોના મૃતદેહ સોંપવામાં ભયંકર ગડબડ થઈ હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે શોકગ્રસ્ત પરિવારોને ફરી એકવાર ઊંડો દુઃખ સહન કરવો પડી રહ્યો છે કારણ કે તેમના પ્રિયજનોના મૃતદેહોને ઘરે મોકલતા પહેલા ખોટી રીતે ઓળખ કરવામાં આવી હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતકના સંબંધીઓને અંતિમ સંસ્કાર કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો કારણ કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેના શબપેટીમાં તેમના પરિવારના સભ્યને બદલે અજાણ્યા મુસાફરનો મૃતદેહ હતા. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં ખોટી ઓળખના બે કેસ નોંધાયા છે, વધુમાં શંકા છે કે આવું અનેક સ્વજનો સાથે થયું હશે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 171, જે બોઇંગ 787-8 દ્વારા સંચાલિત હતી, જે 12 જૂનના રોજ લંડનના ગેટવિક જઈ રહી હતી, તે અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા . આ સાથે જમીન પર 19 અન્ય લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો:

Rajasthan: કાકીને વશમાં લેવા કાકાએ ભત્રીજાની બલિ ચઢાવી, ભૂવાએ માગ્યું હતુ કલેજુ, વાંચી ભૂવા પરથી વિશ્વાસ ઉઠી જશે!

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

 

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 5 views
MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 11 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 10 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 16 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 30 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી