Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ

Ahmedabad  priest Sucide News: અમદાવાદના નરોડા વિસ્તારના કુબેરનગર મંદિરના પૂજારીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે. મંદિર પરિસરમાં જ ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી છે. પૂજારીએ આપઘાત કરતા પહેલા  સુસાઈડ નોટ લખી હતી. બિલ્ડરો અને પોલીસના ત્રાસથી  આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા છે.   હવે તટસ્થ તપાસ થાય તેવી પૂજારીના પરિવારે માગ કરી છે.

મંદિર પરિસરમાં ગળાફાંસો 

કુબેરનગરમાં આવેલા સંતોષી માતાના મંદિરના મંદિરના પૂજારી મહેન્દ્ર માણીકરે (ઉં.વ.63)એ આજે વહેલી સવારે(16 માર્ચ ) આપઘાત કરી લીધો છે. મૃતક પૂજારીના પુત્ર બ્રિજેશભાઈએ આક્ષેપો કરતાં કહ્યું છે કે મંદિર તોડવા માટે છેલ્લા 4 વર્ષથી બિલ્ડરો ધમકીઓ આપતાં હતા. એટલું જ નહીં બિલ્ડરના કહેવાથી કોર્પોરેશનના અમુક અધિકારીઓ તેમજ પોલીસ પણ હેરાન કરતા હોવાનો આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. જોકે હવે પોલીસ યોગ્ય અને તટસ્થ તપાસ કરે તેવી માગ કરાઈ છે.

પૂજારીના પુત્રએ વધુમાં જણાવ્યું હતું કે, આ મંદિર અંગે કોર્ટમાં કેસ ચાલે છે. જો કે તેમ છતાં બિલ્ડરો ત્રાસ આપી જગ્યા ખાલી કરવવા ટોર્ચર કરતાં હતા. આ મંદિર તોડીને અહીં આવાસ યોજના બનાવવામાં આવવાની હતી. ગઇકાલે પણ બધાને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે, તમારી પાસે એક અઠવાડિયું છે. આ જગ્યા હવે ખાલી કરી દો. અમારી માત્ર એટલી માગ છે કે, મારા પિતાએ મંદિર બચાવવા માટે આ પગલું ભર્યું છે.

એક રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું છેકે, હું નરોડાનો જ રહેવાસી છું. મંદિરની નજીક જ મારું નિવાસ્થાન છે. નરોડાવાસીઓ માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર 1972 પહેલાનું છે. મૃતક અહીં મહંત હતા અને તેમના પિતાએ પણ અહીં પૂજા અને સેવા આપી હતી. તેમનું સમાધિ સ્થળ પણ અહીં હયાત છે. અમે ઇચ્છીએ છીએ કે આ મંદિર યથાવત રહે. આ મંદિર કોઇને નડતરરૂપ પણ નથી. બહુ જૂનું મંદિર હોવાથી તેને હટાવવામાં ન આવે તેવી અમારી માગ છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પને રિપોર્ટરનું માઈક મોં પર વાગ્યુ, ભ્રકુટીઓ ઉચી કરી શું કહ્યું? |Donald Trump News

આ પણ વાંચોઃ Anand: તબેલામાં શોર્ટ સર્કિટ, 3 પશુના મોત, આંકલાવમાં બની ઘટના

આ પણ વાંચોઃ Earthquake: કચ્છના ભચાઉમાં ફરી ભૂકંપ, 3.4 ની તીવ્રતાનો આંચકો

Related Posts

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો
  • August 7, 2025

Bhavnagar: ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા રૂખડીયા હનુમાન મંદિર પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધ છન્નાભાઈ ગોહિલની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી…

Continue reading
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ
  • August 7, 2025

Ahmedabad: અમદાવાદના એલિસબ્રિજમાં આવેલા ઓરિએન્ટ ક્લબમાં ગઈ કાલે બે ગ્રુપ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી હતી જાણકારી મુજબ ભૂપેન્દ્ર શાહ અને તેના પરિવારની મેમ્બરશીપ રદ થતાં બે ગ્રુપ વચ્ચે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 1 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 18 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 14 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 21 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 21 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 12 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી