Ahmedabad: વસ્ત્રાલમાં ગુંડાગીરી સામે આવ્યા બાદ બૂલડોઝર કાર્યવાહી

Ahmedabad: અમદાવાદ સહિત ગુજરાતમાં દિવસે દિવસે અસમાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે હવે તંત્રએ આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે. અસમાજિક તત્વોની માહિતી આપવા નંબર પણ જાહેર કરાયો છે. ગુજરાતના ગુંડાઓનું લિસ્ટ પણ બનાવ્યું છે.  હવે અમદાવાદમાં અસાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે બાંધેલા મકાનો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

પોલીસે લાલ આંખ બતાવી છે. વસ્ત્રાલ અને સરખેજ, શાહીબાગ જેવા વિસ્તારોમાં ગુનેગારોના મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત કિશોર લંગડાના પુત્ર દિલીપ રાઠોડનું રોડ પરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે. દિલીપ રાઠોડ શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત લિસ્ટેડ બુટલેગર છે. આજ રીતે વડોદરામાં પણ કામગીરી ચાલી રહી છે.

અમદાવાદના વસ્ત્રાલમાં 3 આરોપીઓના ઘર તોડી પાડવામાં આવ્યા

વસ્ત્રાલમાં થયેલી તોડફોડની ઘટનામાં સામેલ ત્રણ મુખ્ય આરોપીઓ રાજવીરસિંહ બીહોલા, શ્યામ કાબલે અને અલકેશ યાદવના ગેરકાયદે મકાનોને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અમરાઈવાડી, ખોખરા, ઘનશ્યામ નગર, કુકુભાઈની ચાલી, લવજી દરજીની ચાલી અને સત્ય નારાયણ નગર જેવા વિસ્તારોમાં પણ આવા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું છે.

આરોપીઓના ઘર પર બૂલડોઝર ફેરવવા પર સુપ્રિમે શું કહ્યું હતુ?

સુપ્રીમ કોર્ટે એક અરજીકર્તાની સુનાવણી દરમિયાન દેશભરમાં આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહીના મામલામાં કહ્યું હતુ કે જો કોઈ વ્યક્તિ ફક્ત આરોપી હોય તો મિલકત તોડી પાડવાની કાર્યવાહી કેવી રીતે કરી શકાય? જસ્ટિસ વિશ્વનાથન અને જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે કહ્યું, “જો કોઈ દોષિત હોય તો પણ આવી કાર્યવાહી કરી શકાતી નથી.”

આ પણ વાંચોઃ Gandhinagar: હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓ CMને મળવા ગાંધીનગરમાં, આરોગ્યમંત્રીએ કહ્યું માંગ ગેરવ્યાજબી

આ પણ વાંચોઃ UP News: મહિલાનો પ્રાઈવેટ પાર્ટ પકડી નાડુ તોડવું બળાત્કારની કોશિશ નથી: હાઈકોર્ટનો ન્યાય

આ પણ વાંચોઃ   Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો

 

Related Posts

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?
  • October 27, 2025

LIC Exposure to Adani: ભારતીય વ્યવસાય જગતના અબજોપતિ ગૌતમ અદાણીને “નસીબદાર” કહીને એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ પોસ્ટમાં 68 વર્ષ પહેલાંના પ્રખ્યાત ‘મુન્ધરા…

Continue reading
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા
  • October 27, 2025

છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી જેટલો વરસાદ ખાબકતા માલણ નદી ત્રીજીવાર થઈ બે કાંઠે મહુવામાં બજારો-રહેણાક એનક વિસ્તારો પાણીમાં ગરકાવ રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા Heavy…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 16 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 14 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 18 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 21 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 12 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ