Gondal: કથીરિયા અને ગણેશ જાડેજાના ઝઘડાનું મૂળ શું છે?, ભાજપાનો રોલ કેટલો?

Alpesh Kathiria, Ganesh Jadeja Controversy in Gondal: ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજા વચ્ચેનો વિવાદ તાજેતરમાં તીવ્ર બન્યો છે, જેનું મૂળ રાજકીય પ્રભુત્વ, જાતિગત સમીકરણો અને વ્યક્તિગત દુશ્મનીમાં રહેલું છે. 27 એપ્રિલ 2025ના રોજ, ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો થયો હતો. ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ગોંડલમાં ઉગ્ર માહોલ સર્જાયો હતો. કથીરિયાની સાથે જીગીષા પટેલ પણ ગોંડલ પહોંચ્યા હતા. જ્યા તેમણે વિરોધીને હાર પહેરાવી વિરોધ કર્યો હતો. આ ઘટના ગોંડલમાં કથીરિયા અને ગણેશ જાડેજા વચ્ચેના લાંબા સમયથી ચાલતા તણાવનું પરિણામ છે, જે રાજકીય અને સામાજિક પરિબળો સાથે જોડાયેલું છે.

તાજેતરમાં સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં એક સભા મળી હતી જેમાં મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા.જે બાદ ગોંડલના સુલતાનપુર ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા જનાક્રોશ સભાનું આયોજન કરાયું હતુ. આ સભામાં અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને આડે હાથ લીધા હતા અને તેમના પર આકરા પ્રહારો કરાયા હતા. આ સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકતા કહ્યુ હતુ કે, ‘તારા પર 14-14 પાટીદાર દીકરાના મૃત્યુનું પાપ છે, પહેલા એ ધોઈ લો પછી ગોંડલ આવજો’ મા નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં”. આ ચેલેન્જ બાદ અલ્પેશ કથીરિયા ગઈકાલે ગોંડલ પહોંચ્યા હતા. જ્યા ક્ષત્રિયો, રાજપૂતો અને પાટીદાર સમાજ વચ્ચે રસ્સાકસીની સ્થિતિ સર્જાઈ હતી. તો આ સમાજો વચ્ચે સંઘર્ષણ ઘણા સમયથી ચાલે છે.

રાજપૂતો રાજકીય રીતે ગોંડલમાં મજબૂત કેમ?

કારણ કે વર્ષોથી ગોંડલમાં રાજપૂતોનું રાજ રહ્યું છે. તેમની પાસે જમીન હતી. જોકે પાટીદારો પાસે જમીન ન હતી. જે તેમના ખેતરોમાં કામ કરતાં હતા. ગોંડલમાં રાજપૂત સમાજ, ખાસ કરીને જાડેજા પરિવાર, રાજકીય રીતે પ્રભાવશાળી રહ્યો છે. હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તેમના પતિ, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજપૂત સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જમીનની માલિકીએ રાજપૂતોને આર્થિક અને સામાજિક શક્તિ આપી, જેના કારણે તેઓ રાજકીય રીતે પણ મજબૂત રહ્યા. આની સામે, પાટીદાર સમાજ, જે ગુજરાતના અન્ય ભાગોમાં રાજકીય રીતે પ્રભાવશાળી છે, ગોંડલમાં રાજકીય શક્તિ મેળવવામાં પાછળ રહ્યો, જેનું એક કારણ ઐતિહાસિક રીતે જમીનની માલિકીનો અભાવ છે.

કથીરિયા અને અલ્પેશના ઝઘડાનું મૂળ?

જમીનની માલિકીની અસમાનતાએ ગોંડલમાં સામાજિક તણાવ પણ વધાર્યો છે. તાજેતરના વર્ષોમાં ગોંડલમાં પાટીદાર નેતા કથીરિયા અને ગણેશ જાડેજા (રાજપૂત નેતા) વચ્ચેનો વિવાદ આ સામાજિક તણાવનું એક ઉદાહરણ છે. પાટીદાર સમાજ ગોંડલમાં રાજપૂતોના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેનું મૂળ ઐતિહાસિક રીતે જમીનની માલિકી અને આર્થિક શક્તિની અસમાનતામાં છે. 27 એપ્રિલ 2025ના રોજ કથીરિયાના સમર્થકો પર થયેલો હુમલો આ તણાવનું પરિણામ છે, જે દર્શાવે છે કે જાતિગત અને આર્થિક અસમાનતાની અસર આજે પણ ગોંડલમાં જોવા મળે છે.

તો રાજપૂતો અને પાટીદારોના સંઘર્ષનો ઈતિહાસ અને આ વિવાદનું કારણ આ વીડિયોમાં જાણો…

આ પણ વાંચોઃ

આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?

બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge

ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack

Water terrorism: સિંધુ સંધિ છતાં કચ્છમાં પાકિસ્તાનનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ

Uttar Pradesh માં દુ:ખદ દુર્ઘટના, માટીની ભેખડ ધસી પડતાં 3 મહિલા, 2 બાળકીના કરુણ મોત, અન્ય ગંભીર

Related Posts

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
  • October 27, 2025

Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ…

Continue reading
MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 7 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 10 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 9 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 24 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 17 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh