
Amitabh Bachchan: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહે છે. એટલું જ નહીં, પોતાના ટ્વીટ્સની સાથે, તે પોતાના બ્લોગ માટે પણ સમાચારમાં રહે છે. જે થયું નથી તે યુધ્ધવિરામ બાદ બિગ બી X પર ટ્વીટ્સ શેર કરી રહ્યા છે, જેને જોઈને તેમના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ભારત-પાકિસ્તાનના તણાવ વખતે અમિતાભ બચ્ચ(Amitabh Bachchan)ની કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જોકે સીઝ ફાયર થતાં જ તેમને X પોસ્ટ કરવાનું શરુ કર્યું છે. રવિવાર મોડી રાત્રે અમિતાભ બચ્ચને પોતાના X પ્લેટફોર્મ પર એક ટ્વિટ કર્યું છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
અમિતાભ બચ્ચનની પોસ્ટ વાયરલ
T 5376(i) – 👇🏽👇🏽👇🏽
the meaning of the poem words below on T 5376 ..These words of the title are from the Tulsidas Ramcharit Manas .. तूलिसदास रामचरित मानस … the sage Tulsidas’s Ramayan ..
“सूर समर करनी करहिं, कहि न जनावहिं आप” पंक्ति का अर्थ है कि शूरवीर अपने पराक्रम को…
— Amitabh Bachchan (@SrBachchan) May 11, 2025
અમિતાભ બચ્ચને રવિવારે મોડી રાત્રે તેમના X પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી તેમણે તુલસીદાસજીની એક પંક્તિનો પણ ઉલ્લેખ કર્યો. પોસ્ટમાં બિગ બીએ લખ્યું, ‘સૂર સમર કરની કરહીં, કહી ના જનવાહી આપ’. આ પછી, વાક્યનો અર્થ સમજાવતા, તેમણે લખ્યું કે ‘વીર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી દર્શાવે છે, તેઓ પોતાની બહાદુરી બતાવવા માટે વાર્તાઓ બનાવતા નથી.’
‘દુશ્મનને જોતા જ કાયર લોકો જ પોતાની બહાદુરીનો ગર્વ કરે ‘
પોસ્ટમાં બિગ બીએ આગળ કહ્યું કે ‘આ વાક્ય તુલસીદાસજીના રામચરિતમાનસના લક્ષ્મણ-પરશુરામ સંવાદમાંથી લેવામાં આવ્યું છે – કે બહાદુર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવે છે, તેઓ પોતાના મોઢેથી પોતાના વખાણ કરતા નથી.’ યુદ્ધમાં સામે દુશ્મનને જોતા જ કાયર લોકો જ પોતાની બહાદુરીનો ગર્વ કરે છે.
પિતાની કવિતા શેર કરી
તુલસીદાસની પંક્તિ શેર કરતા પહેલા, અમિતાભ બચ્ચને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતાની કેટલીક પંક્તિઓ શેર કરી હતી.
T 5376 – जय हिन्द 🇮🇳
बाबूजी की एक कविता की कुछ पंक्तियाँ _ pic.twitter.com/bej9IPA8Wn— Amitabh Bachchan (@SrBachchan) May 11, 2025
અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેઓ છેલ્લે 2024 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વેટ્ટાઈયાં’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત મુખ્ય ભૂમિકામાં હતા. આ ઉપરાંત, બિગ બી પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ
Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire
PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire
India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ
PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?
Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?
ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor
BJP ના ગ્રૂપમાં પોસ્ટ મૂકી ભાજપના કોર્પોરેટરે મોદીની પોલ ખોલી નાખી ?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી કોંગ્રેસ આશ્ચર્યચકિત, જાણો Sachin pilot એ શું કહ્યું ?
