
અમરેલીમાં થયેલા લેટરકાંડમાં રોજેરોજ ભારે વિરોધ થઈ રહ્યો છે. લેટરકાંડમાં હવે પિડિત પાયલ ગોટીએ મેડિકલ રિપોર્ટ કરાવાની ચોખ્ખી ના પાડી દીધી છે. પાયલ ગોટી અને તેના વકીલને SITની ટીમ પર ભરોસો નથી. ત્યારે બીજી બાજુ રાજકારણ પણ ગરમાયું છે.
આજે લેટરકાંડ મામલે આજથી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આરપારની લડાઈ લેવાના મૂડમાં આવી ગયા છે. પાયલ ગોટીને થયેલા અન્યાય મામલે આજથી અમરેલીના રાજકમલ ચોકમાં પરેશ ધાનાણી ઉપવાસ પર ઉતર્યા છે. પરેશ ધાનાણી સવારે 10 કલાકથી નારી સ્વાભિમાન આંદોલનના અધ્યાયનો આરંભ કર્યો છે. ધાનાણી સાથે રાજકોટના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા પણ જોડાઈ ગયા છે. 10 થી 6 વાગ્યા સુધીની તંત્રની પરવાનગી મેળવી 24 કલાક સુધી ઉપવાસ કરશે. અને પાયલ ગોટી માટે ન્યાયની માગ કરશે. પાયલ ગોટીના આ મામલાએ અમરેલીમાં જ નહીં પણ રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી છે.
મેડિકલ તપાસનો ઈન્કાર
ગઈકાલે પાયલ ગોટી SP ઓફિસ પહોંચી હતી, જેની સાથે વકીલ સહિત જેનીબેન ઠુમ્મર પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસવડાની કચેરીમાં નિવેદન નોંધ્યા બાદ ચેકઅપ કરવાની ના પાડી દીધી હતી. વકિલનું કહેવું છે તે SIT પર ભરોસો નથી. વકીલે આક્ષેપ કર્યો છે કે દીકરીને પગના તળિયામાં 29 ડિસેમ્બરે તારીખે માર માર્યો અને આજે 10 દિવસ પછી તાપસ કરવો છો?.
આ વિડિયો જોવો ગમશે.
આ સમાચાર પણ વાંચોઃ અમેરિકામાં આગનું રૌદ્ર સ્વરુપ, 5 લોકોના મોત, ઇમારતો ધ્વસ્ત