Anganwadi Recruitment 2025: આંગણવાડીમાં 9000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત, જાણો લાયકાત અને પગાર

Anganwadi Recruitment 2025: આંગણવાડીની ભરતીની રાહ જોતી બહેનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ માટે રોજગારની એક મોટી તક જાહેર કરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની 9000થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ધોરણ 10 અને 12 પાસ મહિલાઓને પોતાના ગામમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક મળશે.

અરજી પ્રક્રિયા અને સમયમર્યાદા

આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ 8 ઓગસ્ટ, 2025થી શરૂ થઈ ચૂકી છે અને 30 ઓગસ્ટ, 2025ના રોજ રાત્રે 12:00 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારોએ સરકારના e-HRMS પોર્ટલ (https://e-hrms.gujarat.gov.in) દ્વારા અરજી કરવાની રહેશે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) દ્વારા પણ અરજી ફોર્મ ભરી શકાશે.

જગ્યાઓનું વિતરણ

આ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ કચ્છ જિલ્લામાં 619, અમદાવાદ મહાનગરપાલિકામાં 568, બનાસકાંઠામાં 547, આણંદમાં 394 અને મહેસાણામાં 393 જગ્યાઓ માટે મહિલાઓની પસંદગી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આંગણવાડી કાર્યકર: ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા ધોરણ 10 પાસ પછી AICTE માન્ય બે વર્ષનો કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ.

આંગણવાડી તેડાગર: લઘુતમ ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. અરજી ફોર્મમાં ફક્ત પૂર્ણ થયેલ ડિગ્રી/કોર્સની વિગતો ઉમેરવાની રહેશે.

પગાર ધોરણ

આંગણવાડી કાર્યકર: રૂ. 10,000 પ્રતિ માસ
-આંગણવાડી તેડાગર: રૂ. 5,500 પ્રતિ માસ

વય મર્યાદા

અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી પામેલા ઉમેદવારોની ભૂમિકા

આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદ થનાર મહિલાઓએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ 6 વર્ષથી નાના બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્ય અને પોષણનું સ્તર સુધારવા કામ કરવાનું રહેશે. આ ઉપરાંત, તેઓ પોષણ સહાય, માતા-બાળ સંભાળ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવાઓ જેવી જવાબદારીઓ નિભાવશે.

આ ભરતી રાજ્યની મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ તક છે, જે સ્થાનિક સ્તરે આરોગ્ય અને પોષણ સેવાઓને વધુ મજબૂત બનાવશે. રસ ધરાવતી મહિલાઓએ સમયસર અરજી કરી આ તકનો લાભ લેવો જોઈએ.

આ પણ વાંચો: 

Valsad: આશ્રમશાળાઓમાં ભ્રષ્ટાચાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું શોષણ, યુવરાજસિંહે ખોલી આ નેતાની પોલ

INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો

Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા

Ahmedabad Plane Crash: અમેરિકન વકીલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, બચી ગયેલા મુસાફરને પણ મળ્યા, જાણો તેમને શું કહ્યું?

KC Venugopal Air India flight: 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરને લઈ જતા વિમાન સર્જાઈ ખામી, કેસી વેણુગોપાલે શરે કર્યો ભયાનક અનુભવ

Kutch: ‘રામ રાખે તેને કોણ ચાખે’ 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલ બાળકનું ગામલોકો દ્વારા દિલધડક રેસ્ક્યું

  • Related Posts

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
    • October 29, 2025

    Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

    Continue reading
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
    • October 29, 2025

    Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 7 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 12 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 9 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    • October 29, 2025
    • 24 views
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    • October 29, 2025
    • 13 views
    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    • October 29, 2025
    • 17 views
    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh