
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં એક વિદ્યાર્થીએ ચાર મહિના અગાઉ શિક્ષકના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. આપઘાત માલે ભારે વિરોધ બાદ મોડે મોડેથી પોલીસે ફરિયાદ નોંધી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે દિકરા પર શિક્ષક દ્વારા ત્રાસ ગુજારાતાં આપઘાત કરી લીધો હતો. આ મામલે ભિલોડા પોલીસે અત્યાચારી શિક્ષક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચોઃ SURAT: પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિતનું રીકન્સ્ટ્રક્શન કરાયું, આખરે પરિવારની કેમ કરી હત્યા?
ચાર મહિના અગાઉ ભિલોડા તાલુકાના માંકરોડા ગામના વિદ્યાર્થી દિપકસિંહ ગુનાવતએ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીએ ઇન્દ્રસી ડેમમાં ઝંપલાવીને મોતને વ્હાલુ કર્યું હતુ. આ ઘટનામાં શિક્ષક કાંતિલાલ બુધરા પર ગંભીર આક્ષેપ થયા હતા. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને અવારનવાર પરેશાન કરી માર મારવામાં આવતો હતો. ત્યારે હવે ભારે ઉહાપોહ બાદ શિક્ષક વિરુધ્ધ ભિલોડા પોલીસ મથકે દુષપ્રેરણા અને મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો છે. આ પહેલા ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને પરિવારજનોએ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાવવા આંદોલન કરવું પડ્યું હતુ. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી ગુનો નોંધ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
વિડિયો જોવા લિંક પર ક્લિક કરો:
https://www.instagram.com/reel/DEkQHcThMVe/?utm_source=ig_web_button_share_sheet