
આસારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યા કેસના આરોપી 10 વર્ષ બાદ પોલીસને હાથ લાગ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે, આસારામ બળાત્કાર કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યા કરનારા આરોપીને 10 વર્ષ બાદ કર્ણાટકની ઝડપી પાડ્યો છે. અમૃત પ્રજાપતિ ઉપર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. હાલ ગુજરાત લાવવા કવાયત હાથ ધરાઈ છે.
આસારામની સામે પડનાર અમૃત પ્રજાપતિ પ્રથમ હતા
દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધક અમૃત પ્રજાપતિ વૈદ્યની ઉપર રાજકોટમાં ફાયિંરગ કરીને હત્યા કરાઈ હતી. 23મી મે 2014ના રોજ રાજકોટમાં પેડક રોડ ઉપર ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવેલા શાર્ર શૂટરે અમૃત પ્રજાપતિ ઉપર ફાયરિંગ કર્યું હતું.
ફાયિંરગમાં પ્રજાપતિને ગળામાં ગોળી વાગી જતા ગંભીર ઇજા થઇ હતી. પહેલા સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજી ગયું હતુ. તેઓ એવા પ્રથમ વ્યક્તિ હતા કે આસારામ સામે બોલ્યા હતા અને આસારામ વિરુધ્ધ જાહેરમાં નિવેદન આપ્યું હતુ. ત્યારે આખરે 10 વર્ષ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી અમૃત પ્રજાપતિના હત્યારાને કર્ણાટકથી ઝડપી પાડ્યો છે.
આ સમાચાર પણ વાંચોઃ AMRELI: 2 દિવસથી ઉપવાસ પર બેઠેલાં પરેશ ધાનાણીની તબિયત લથડી