
Ayodhya News: ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ પરંપરાઓ, રિવાજો અને તેમના ધાર્મિક સ્થળો, મદરેસા અને ઈદગાહોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યની યોગી સરકારે અત્યાર સુધીમાં ઘણી મસ્જિદો, મદરેસા, ઈદગાહો અને ઐતિહાસિક મકબરા તોડી પાડ્યા છે. એટલું જ નહીં, હવે મુસ્લિમ પરંપરાઓ પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં બહરાઇચમાં સલાર મસૂદ ગાઝીના ઉર્સ અને બારાબંકીમાં વર્ષોથી આયોજિત સૈયદ શકીલ શાહ બાબાના ઉર્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 14 જૂને અયોધ્યા વહીવટીતંત્રે શાંતિ અને કાયદો અને વ્યવસ્થા બગડતી હોવાની ગુપ્ત માહિતીનો હવાલો આપતા ‘દાદા મિયાં ઉર્સ’ ના આયોજન પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકાથી દર વર્ષે આયોજિત થતો આ ઉર્સ ઉત્સવ આ વખતે શનિવાર અને રવિવારે યોજાવાનો હતો, પરંતુ હવે તેને રદ કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. અયોધ્યાના તંત્રએ ખાનપુર મસોધા વિસ્તારમાં સ્થિત દાદા મિયાં મઝાર ખાતે યોજાનારી વાર્ષિક ઉર્સની પરવાનગી રદ કરી દીધી છે. VHP ની ફરિયાદ પર કોઈ કારણ વગર ઉર્સ રદ કરવામાં આવ્યા બાદ પ્રશાસનના ઈરાદા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
હિન્દુસ્તાનમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક સભ્યો લાલજી શર્મા અને સૂર્યકાંત પાંડેએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ખાનપુર મસોધા ખાતે “ગાઝી બાબા” ના નામે એક મેળો યોજાઈ રહ્યો હતો. કથિત તપાસ બાદ પોલીસે દાવો કર્યો હતો કે આયોજકોએ ‘દાદા મિયાં ઉર્સ’ ના નામે સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લીધી હોવા છતાં, તેઓ ‘ગાઝી બાબા ઉર્સ’ ના નામે રસીદો છાપીને દાન એકત્રિત કરી રહ્યા હતા.
ફરિયાદીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઉર્સ દરમિયાનઆયોજકો દ્વારા કેટલાક મૌલવીઓને બોલાવવામાં આવે છે જેઓ કથિત રીતે “કાળા જાદુ”નો અભ્યાસ કરે છે અને લોકોને “ગેરમાર્ગે દોરે છે”. પોલીસ સર્કલ ઓફિસર આશુતોષ તિવારીએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે “ઉર્સ દાદા મિયાંના નામે આપવામાં આવેલી પરવાનગી રદ કરવામાં આવી છે, કારણ કે એવું બહાર આવ્યું છે કે ઉર્સનું આયોજન ગાઝી બાબાના નામે કરવામાં આવી રહ્યું છે.” હાલમાં, ઉર્સ આયોજન સમિતિના કોઈ અધિકારી આ સમગ્ર મામલે કંઈ કહેવા તૈયાર નથી.
આ પણ વાંચો:
Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?
યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?
મહારાષ્ટ્ર સરકાર ઔરંગઝેબની કબર આવેલી છે તે શહેરનું નામ બદલી નાખશે | Maharashtra | Aurangzeb Tomb
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા
Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા
Ahmedabad plane crash: જાણઓ કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?