Bharuch: અંકલેશ્વરના બાકરોલમાંથી માનવ કંકાલ મળતાં ખળભળાટ, પોલીસ ઘટનાસ્થળે

  • Gujarat
  • March 20, 2025
  • 0 Comments

Bharuch Crime:  ભરૂચના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમાં આવેલા શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતાં લોકો ભયભીત થઈ ગયા છે. આ કંકાલ પુરુષનું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે શેરડીના પાકને કાપતાં પહેલા તેને સળગાવવામાં આવે છે. ત્યાર બાદ શેરડી કાપમાં આવે છે. ત્યારે અનુમાન લાગાવાઈ રહ્યું છે કે શેરડી સળગાવતી વખતે આ ઘટના ઘટી હશે.

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી ગ્રામજનોમાં અચરજમાં મૂકાઈ ગયા છે. આ ઘટના બાકરોલ ગામની સીમમાં આવેલા અંબુભાઈ પટેલના ખેતરમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે સવારે શેરડીની કાપણી માટે ખેતરમાં આગ લગાડવામાં આવી હતી. તે દરમિયાન શ્રમિકોને માનવ કંકાલ દેખાયું હતું. આ કંકાલ બળેલી હાલતમાં મળી આવ્યું હતુ. શ્રમિકોએ તરત જ ખેતર માલિકને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને સરપંચને જાણ કરતાં જ તપાસ હાથ ધરવમાં આવી હતી. ત્યારબાદ પોલીસે કંકાલનો કબજો લઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અને FSL અર્થે ખસેડ્યું હતુ.

પોલીસે હાલ તપાસ હાથ ધરી છે કે શેરડીની કાપણીમાં આગ લગાવાતી વખતે અજાણથી આ ઘટના ઘટી છે કે પછી હત્યા કરવામાં આવી છે?,  હજુ સુધી માનવ કંકાલ મળવા મુદ્દે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોર ખૂબ નારાજ થયા બાદ સરકારે અંતે શું જવાબ આપ્યો? |Vikram Thakor Controversy

આ પણ વાંચોઃ  વસ્ત્રાલકાંડમાં અમદાવાદ પોલીસે કરી ગંભીર બેદરકારી; સાહેબ… ‘ઉતાવળે આંબા ન પાકે’

આ પણ વાંચોઃ UP News: હત્યારા પ્રેમી યુગલને કોર્ટ પરિસરમાં વકીલોએ માર માર્યો, પતિની હત્યાનો કોઈ પશ્ચાતપ નહીં, જુઓ VIDEO

આ પણ વાંચોઃ divorce: ચહલ અને ધનશ્રીના છૂટાછેડા, ટૂંકા ગાળામાં લગ્નસંબંધનો અંત, કોર્ટે આપી મંજૂરી

Related Posts

Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ
  • April 30, 2025

Surat: તાજેતરમાં સુરતના શિક્ષણક્ષેત્રેથી એક અચરજ પમાડો કિસ્સો સામે આવ્યો હતો. પુણા વિસ્તારમાં 23 વર્ષિય શિક્ષિકા તેના 11 વર્ષિય વિદ્યાર્થી સાથે ભાગી જતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે કિશોર વિદ્યાર્થી…

Continue reading
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?
  • April 30, 2025

Junagadh Demolition: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓની વસાહતના બહાના હેઠળ સરકાર ગરીબોના ઝૂંપડા પાડી રહી છે. જેથી લોકો આકરા ઉનાળામાં બેઘર બન્યા છે. લોકોના માથેથી છત જતી રહી છે. તેઓ પોતાના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?

  • April 30, 2025
  • 6 views
Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?

Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!

  • April 30, 2025
  • 14 views
Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!

Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ

  • April 30, 2025
  • 27 views
Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ

Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

  • April 30, 2025
  • 32 views
Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

  • April 30, 2025
  • 31 views
જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

  • April 30, 2025
  • 19 views
ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર