Bhavnagar: મેયરે કેમ આપી આત્મવિલોપનની ચીમકી? ભાજપમાં અંદરખાને શું છે ડખા?

Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકાના મેયરે આત્મવિલોપનની ચીમકી આપી હોવાના સમાચારે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. ભાજપના આંતરિક વિવાદો એક પછી એક સામે આવી રહ્યા છે, જેમાં મેયરની આ ચીમકીએ નવો વળાંક લાવ્યો છે. સોશિયલ મીડિયા પર ભાજપના ગ્રુપમાં મેયરે પોતાની વ્યથા વ્યક્ત કરતા મેસેજ વાયરલ થયા હતા, જેમાં તેમણે પોતાની સાથે થઈ રહેલા અન્યાય અને નિશાન બનાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મેયરે ભાજપના ગ્રુપમાં પોતાની વ્યથ્યા ઠાલવી

આ ઘટના એવા સમયે સામે આવી જ્યારે ભાજપના પ્રભારી રત્નાકરજી આજે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. આવા સમયે મેયરની આ ચીમકીએ પાર્ટીની અંદરખાને ગરમાવો લાવી દીધો છે. મેયરે ભાજપના અંદરના જ ગ્રુપમાં પોતાની વેદના વ્યક્ત કરી હતી, પરંતુ આ મેસેજ ગ્રુપ એડમિન દ્વારા તાત્કાલિક ડિલીટ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પાર્ટીના અમુક નેતાઓ પર આંગળી ચીંધી

મેયરે પોતાના મેસેજમાં પાર્ટીના અમુક નેતાઓ પર આંગળી ચીંધી હતી અને પોતાને નિશાન બનાવવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાએ ભાજપની અંદરની ગતિશીલતા અને એકતા પર સવાલો ઉભા કર્યા છે.

પાર્ટી વિવાદને શાંત કરવા શું પગલા લેશે?

ઉલ્લેખનીય છેકે, ભાવનગર મહાનગરપાલિકાની બેઠકમાં પણ તાજેતરમાં શાસક પક્ષના ડ્રામા અને વિપક્ષના વોકઆઉટની ઘટનાઓ સામે આવી હતી, જેમાં મેયર દ્વારા 19 કામોને ચર્ચા વિના મંજૂરી આપવામાં આવી હોવાનો વિવાદ થયો હતો. આ બધા વચ્ચે મેયરની આત્મવિલોપનની ચીમકીએ ભાજપના આંતરિક વિવાદોને વધુ ઉજાગર કર્યા છે. ત્યારે રત્નાકરજીની મુલાકાત દરમિયાન આ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે, અને પાર્ટી આ વિવાદને શાંત કરવા શું પગલાં લે છે તે જોવું રહ્યું….

અહેવાલ : નીતિન ગોહેલ

આ પણ વાંચો:

Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ

Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

bihar: નામ ‘સોનાલિકા ટ્રેક્ટર’, ફોટો અભિનેત્રી મોનાલિસાનો, હવે ટ્રેક્ટરને પણ મળ્યું રહેણાંક પ્રમાણપત્ર, કોણ કરી રહ્યું છે આવા ગોટાળા?

Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે

 

  • Related Posts

    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
    • August 6, 2025

    Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

    Continue reading
    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ
    • August 6, 2025

    Karnataka Viral Video: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર મંગળવારે, 5 ઓગસ્ટ 2025ના રોજ બેંગલુરુના હેબ્બલ ફ્લાયઓવર પર સ્કૂટી ચલાવતા જોવા મળ્યા હતા, જેની ચર્ચા આજે ચારેકોર થઈ રહી છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    • August 6, 2025
    • 2 views
    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

    • August 6, 2025
    • 4 views
    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

    • August 6, 2025
    • 12 views
    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

    Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

    • August 6, 2025
    • 22 views
    Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

    Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

    • August 6, 2025
    • 9 views
    Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

    Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?

    • August 6, 2025
    • 14 views
    Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?