Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

  • Gujarat
  • April 23, 2025
  • 6 Comments

Bhavnagar  Rajkot terrorism  protest: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા સામે દેશભરમાં વિરોધ રહ્યો છે. હુમલાની વિશ્વએ પણ નિંદા કરી છે. ત્યારે ભારતના વિવિધ સ્થળોએ પણ ભારે વિરોધ થયો છે. પહેલગામમાં થયેલા હુમલામાં 3 ગુજરાતીના મોત થયા છે. 2 ભાવનગર જ્યારે 1 સુરતના હોવાના સામે આવ્યું છે. ભાવનગરના પિતા-પુત્ર અને માતા પહેલગામ ફરવા ગયા હતા. જ્યાં આતંકીઓના ફાયરિંગમાં  પિતા-પુત્રનું મોત થયું છે. જ્યારે માતાનો બચાવ થયો છે.

આ હુમલામાં સુરતના અન્ય એક યુવકનું પણ મોત થયું છે. આ ત્રણેયના મૃતદેહ આજે વતન લાવવામાં આવી રહ્યા છે. મોડી રાત સુધી મૃતદેહો વતન આવી જશે. પહેલગામમાં થયેલા હુમલામાં 30 જેટલા લોકોના મોત થઈ ગયા છે.

ત્યારે આજે આતંકી હુમલાનો રાજકોટમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદના વિનય કારીયાએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ દ્વારા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે ત્રીજી સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને આતંકવાદીઓ સામે લડવા માટે સમગ્ર દેશ સરકારની સાથે છે તેવું જણાવ્યું હતું.

ભાવનગરમાં પણ બજરંગ દળ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

જો કે આ હુમલામાં ખુદ અમિત શાહ પણ જવાબદાર છે. તેમણે ટુરિસ્ટની સિઝન હોવા છતાં હુમલાસ્થળે એક પણ સુરક્ષાકર્મી તૈનાત કર્યો ન હતો. આ હુમલાની સીધી જવાબદારી કેન્દ્ર સરકારની બને છે. તેમાં પણ ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહની. આ હુમલામાં મહારાષ્ટ્રના 6 લોકોના મોત થયા છે. જ્યાં શિવ સેનાના નેતા સંજય રાઉતે અમિત શાહને આડે હાથ લીધા હતા. અને રાજીનામું આપી દેવા કહ્યું હતુ.

સ્થાનિકોની સંડોવણી?

સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે. આ હુમલામાં સ્થાનિકોની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?

Pahalgam Terror Attack: પંજાબમાં મુસ્લીમોએ લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા, આતંકીનું પૂતળું બાળ્યું

Resignation demand:  ‘અમિત શાહ રાજીનામું આપે, 365 દિવસ વિપક્ષોને ખતમ કરવા કાવતરા કરે છે, દેશ રામ ભરોસે’

Kashmir Bandh: આતંકવાદના વિરોધમાં કાશ્મીર બંધ, મસ્જિદોએ હુમલાની નિંદા કરી, ‘અમારા માથા શરમથી ઝૂકી ગયા’

Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ

 

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

One thought on “Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 6 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 12 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 10 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 24 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 17 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી