ભોપાલ ગેસ દુર્ઘટના: 40 વર્ષ પછી પણ જઇ રહ્યા છે જીવ!! કેમ 2 લોકોએ કર્યો આત્મદાહ?

  • India
  • January 3, 2025
  • 0 Comments

ભોપાલ ગેસ દુર્ઘટનાને 40 વર્ષ થઈ ગયાં છે. 2-3 ડિસેમ્બર, 1984ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કૅમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા ગૅસથી 24 કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગઅલગ રીતે શારીરિક ખોડખાંપણનો શિકાર થતા રહ્યા.

કેટલાય લોકોને ફેફસાં સંબંધિત બીમારી થઈ, તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા. જે બાળકો ગર્ભમાં હતાં તેઓ પણ આ કેરથી બચી ન શક્યાં. હવે એક વખત ફરીથી ભોપાલ ગેસકાંડ પછી બચેલા ઝેરી કચરાને લઈને વિરોધ ઉભો થયો છે. 40 વર્ષથી ભોપાલમાં પડેલા કેમિકલવાળા કચરાને સરકાર દ્વારા ત્યાંથી ખસેડીને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર પીથમપુરમાં લઈ જેવામાં આવ્યો છે.

આ કચરાને પીથમપુરમાં લાવતાની સાથે જ તેનો ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે. આ વિરોધ દરમિયાન બે લોકોએ પોતાની જાતને આગ લગાવી દેતા તેમણે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જેવા પડ્યા છે. શુક્રવાર સવારથી જ પીથમપુરમાં બજારો બંધ છે. આ વિરોધમાં બંધને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. નાની-નાની દુકાનોથી માંડી મોટા વેપાર-ધંધાઓ બંધ પાળી રહ્યા છે.

 રસ્તાઓ પર ચક્કાજામ

અમુક સમર્થકોએ ધનગઢ, બસ સ્ટેન્ડ અને આઝાદ ચોક પર પહોંચી રસ્તાઓ પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ત્યાં ઉપસ્થિત પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી. પોલીસે અમુક સમર્થકો પર લાઠીચાર્જ કર્યો હતો. તદુપરાંત આ વિરોધ પ્રદર્શનમાં આમરણ ઉપવાસ પર બેઠેલા સંદીપ રઘુવંશીના સમર્થનમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. સૈલાનાના ધારાસભ્ય કમલેશ ડોડિયાર પણ ઘરણાં કરી રહ્યા છે. જાહેર પરિવહન તેમજ ઔદ્યૌગિક ક્ષેત્રોમાં કારખાનાઓ ચાલુ છે. વિસ્તારમાં પોલીસ દળ ચુસ્ત બંદોબસ્ત સાથે ઉપસ્થિત છે.

ધારમાં લાઠીચાર્જ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસના ધારાસભ્યે પૂછ્યું છે કે, શું મધ્યપ્રદેશમાં લોકતંત્ર છે? પીથમપુરમાં યુનિયન કાર્બાઈડના ઝેરી કચરાની ઠાલવણી અને સળગાવવાનો વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે. એમપીપીએસસી વિરૂદ્ધ આંદોલન કરતાં યુવાનોને જેલભેગા કર્યા છે.

  • Related Posts

    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
    • December 13, 2025

    H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

    Continue reading
    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
    • December 13, 2025

    Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    • December 13, 2025
    • 3 views
    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    • December 13, 2025
    • 4 views
    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    • December 13, 2025
    • 4 views
    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    • December 13, 2025
    • 5 views
    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    • December 13, 2025
    • 10 views
    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

    • December 13, 2025
    • 8 views
    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ