ગુજરાતમાં જન્મ-મરણના દાખલા પર મોંઘવારી સવાર, રુ. 10ને બદલે 50 કર્યા |Birth-death certificate fees

Birth-death certificate fees increased: ગુજરાતમાં ખાવા-પીવા સહિત જીવન જરુરિયાત ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. બીજી બાજું જીએસટીનું ભારણ છે. એવામાં સરકારને જન્મ-મરણના દાખલા સસ્તામાં નિકળતાં હોય તેમ તેની ફીમાં વધારો કર્યો છે. પહેલા મૃત્યુંનો દાખલા માટે 5 રૂપિયા ફી હતી, જેને વધારીને 20 રૂપિયા કરાઈ. જ્યારે જન્મના દાખલાની ફી 10 રૂપિયા હતી, જેને વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. જેથી ભૂપેન્દ્ર પટેલની મૃદુ સરકારને લોકોને ઓછા ભાવે જન્મ-મરણના દાખલા નીકળે તે પણ પોંસાતું ન હોવાનું લાગી રહ્યું છે.  ફી વધારાથી સીધી અસર અરજદારોના ખિસ્સા પર પડશે. આ નવા નિયમો 27મી ફેબ્રુઆરીથી અમલમાં મૂકાયા છે.

આ પણ વાંચોઃ BHARUCH: લગ્નમાં બેન્ડના અવાજથી ભેંસ ભડકી, વર પરણવા જાયે તે પહેલા વરઘોડામાં મારામારી

નોંધણી કરાવવા મોડું થયું તો લેટ ફી ભરવી પડશે

ફી વધારાની સાથે, સરકારે  લેટ ફી અટેલે કે મોડા જન્મ-મરણ નોંધણી કરાવશો તો દંડ સ્વરુપે રુપિયા ભરવા પડેશે.  જો કોઈ વ્યક્તિ જન્મ-મરણની ઘટનાની નોંધણી 30 દિવસ પછી કરાવે છે, તો તેને હવે વધુ લેટ ફી ભરવી પડશે. અગાઉ આ લેટ ફી માત્ર રૂ. 10 હતી, જે વધારીને રૂ. 50 કરાઈ છે. એટલું જ નહીં, જો 1 વર્ષથી વધુ થશે તો રૂ. 100 ની ફી ભરવી પડશે અને આવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી પણ ફરજિયાત રહેશે.

ખોટી માહિતી આપશ તો 1 હજાર દંડ

જો કોઇ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી વખતે ખોટી માહિતી આપશે તો તેને 50 રૂપિયાથી માંડીને 1000 રૂપિયાનો દંડ સ્વરુપે ભરવો પડશે.

જન્મ સર્ટીમાં આ રીતે કરાશે ફેરફાર?

જે કોઈ પોતાના જન્મ સર્ટીફિકેટમાં ફેરફાર કરવા માંગે છે અથવા જેમની ઉંમર 15 વર્ષથી વધુ છે, તેઓએ નજીકના મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અથવા સંબંધિત ઓફિસમાં જઈને ઓફલાઈન અરજી કરવાની રહેશે. ઓફલાઈન અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે. ત્યાર બાદ જન્મ પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

આ પણ વાંચોઃ Anand video: મહિલા વચેટિયા સક્રિય: દાખલો કઢાવી આપવા માગ્યા આટલા રુપિયા?

આ પણ વાંચોઃ Surat: સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષિય બાળકનું મોત, હોસ્પિટલ પર શું લાગ્યા આક્ષેપ?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન સામે વીરપુરમાં ભારે વિરોધ, બે દિવસ રહેશે સજ્જડ બંધ |Swami Gyanprakash

 

 

Related Posts

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી
  • June 16, 2025

Vijay Rupani: 12 જૂન,2025 ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા…

Continue reading
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!
  • June 16, 2025

Ahmedabad plane crash, Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા, જેને મહેશ કલાવડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગુજરાતી ફિલ્મ નિર્માતા અને મ્યુઝિક વિડીયો ડિરેક્ટર છે. તેમણે 2019 ની ગુજરાતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 8 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 4 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 12 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 18 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

  • June 16, 2025
  • 6 views
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

  • June 16, 2025
  • 26 views
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં