
Gujarat: ભારતના ઓપરેશન સિંદુર (Operation Sindoor) બાદ પાકિસ્તાન (Pakistan) બોખલાયું છે અને સતત ભારત ભારત પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલાઓને લઈને ગુજરાત સરકાર (Gujarat government) એક્શનમાં આવી છે. આ મામલે ગુજરાત સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહતી આપી છે.
ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
ગુજરાતમાં 15 મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. ગૃહ રાજ્ય મંત્રીએ તમામ પોલીસ અધિક્ષકોને જાહેરનામા બહાર પાડવા આદેશ કર્યો છે. પોલીસ અધિકારીઓ, કલેકટરોને કડકાઇથી આ આદેશ લાગુ કરવાની જવાબદારી સોંપાઈ છે.
Gujarat:
No firecrackers or drones will be allowed in any functions or events until the 15th of this month. Kindly cooperate and follow the guidelines.— Harsh Sanghavi (@sanghaviharsh) May 9, 2025
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ સમારંભ કે કાર્યક્રમમાં ફટાકડા કે ડ્રોન ફોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કૃપા કરીને સહકાર આપો અને માર્ગદર્શિકાનું પાલન કરો.
કચ્છની ભારત-પાકિસ્તાન બોર્ડર નજીકથી શંકાસ્પદ હાલતમાં મળ્યુ હતું ડ્રોન
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે કચ્છની ભારત-પાકિસ્તાન બોર્ડર નજીકથી શંકાસ્પદ હાલતમાં ડ્રોન મળી આવ્યું હતું. આ ડ્રોન હાઈટેન્શન પાવર લાઈન સાથે ટકરાયું હતુ. જેથી તેમાં આગ લાગી ગઈ હતી. આ ઘટના ભુજના દુર્ગમ ખાવડાના સરહદી કોટડા ગામ નજીક આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં બની હતી. સંદિગ્ધ વસ્તુ ધ્યાનમાં આવતા પીલીસ તંત્ર સાથે સુરક્ષા દળ અને વિવિધ એજન્સીઓ સતર્ક બની આ મામલે સઘન તપાસ કામગીરી હાથ ધરી હતી.
ગુજરાત બાદ આ અહીં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
ચંદીગઢ જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 હેઠળ ‘કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ’ અંગે આદેશો જારી કર્યા છે.
આ પણ વાંચોઃ
પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india
Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો
Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી
Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?
‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor