ચંદ્ર ગોવિંદ દાસે બંધારણના ઘડવૈયા અંગે શું કહી દીધું કે વિવાદ છેડાયો?, | Video | Chandra Govind Das

Chandra Govind Das statement controversy:  બંધારણ ઘડનારા બાબા સાહેબને એક બાબાએ મુર્ખ કહેતાં વિવાદ વકર્યો છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે ભારતના અનેક ક્ષેત્રોમાં ધાર્મકિતા ઉભી કરી દેવામાં આવી છે. ઘણી એવી સરકારી જગ્યાઓઓ છે તેને ધાર્મિકતાનો રંગ લગાડી દેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓ, જાહેર વાહનોમાં પણ ધાર્મકિતાનું પ્રમાણ વધી રહ્યું છે. જે એક પ્રકારે જૂથવાદ પેદા કરનારું છે. ભારતના દરેક ક્ષેત્રે ધાર્મિકતાનું પ્રમાણ વધી ગયું છે. રાજકીય પક્ષોમાં ધાર્મિક કટ્ટરતાં જોવા મળી રહી છે.

ત્યારે ઇસ્કોન સાથે જોડાયેલા ચંદ્ર ગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલ ભારે વિવાદમાં આવી ગયા છે. તેમણે બંધારણ બનાવનારને મુર્ખ કહ્યા છે. વ્યાસપીઠ પરથી બંધારણ બનાવનારને મુર્ખ કહેતાં લોકોમાં રોષ ભભૂક્યો છે. જેઓ ઇસ્કોન (ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ) સાથે સંકળાયેલા છે.

ચંદ્ર ગોવિંદ દાસે ભારતના બંધારણ અને તેના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરી કરી છે. ચંદ્ર ગોવિંદ દાસનું નિવેદન ભારતના સામાજિક અને રાજકીય વાતાવરણમાં એક સંવેદનશીલ મુદ્દો બની ગયું છે, જે બંધારણ અને ડૉ. આંબેડકરના યોગદાન પર ચર્ચાને વેગ આપે છે. આ ઘટના સમાજમાં ધ્રુવીકરણને ઉત્તેજન આપી શકે છે.

ચંદ્ર ગોવિંદ દાસે શું કહ્યું હતુ?

ચંદ્ર ગોવિંદ દાસે એક વીડિયોમાં કથિત રીતે ભારતીય બંધારણના નિર્માતાઓને “મૂર્ખ” ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે કાયદો શું કરી લે. તમારો દિકરો-દીકરીનું તમે 20 વર્ષ સુધી પાલન કર્યું છે. પરંતુ જો તે જાતે ક્યાક લગ્ન કરી લે તો તમે કશું ન કરી શકો. કાયદો બનાવનારી સરકાર કેટલી મુર્ખ હશે. બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલાં મુર્ખ વ્યક્તિઓ હશે. અવ્વલ નંબરના. આ સંવિધાને દેશને વ્યભાચારમાં ધકેલી દીધોછે. સંવિધાન ધર્મના આધાર પર હોવું જોઈએ.

ત્યારે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં  ધાર્મિકતામાં ડૂબેલા ભારત દેશ કરતાં અન્ય દેશોમાં કેવી રીતે ટેક્નોલોજીમાં આગળ વધી રહ્યા છે.

Related Posts

Ahmedabad plane crash: જાણો કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?
  • June 15, 2025

Ahmedabad plane crash,  DNA report:  12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ