Dahod News:  દાહોદ પોલીસની કામગીરીઃ અત્યાચારનો ભોગ બનેલી મહિલાને આત્મનિર્ભર બનાવી, દુકાન સહિત CCTV લગાવ્યા, સરકાર શું કરે છે?

  • Gujarat
  • February 5, 2025
  • 2 Comments

Dahod News:  દાહોદના સંજેલી તાલુકામાં ઢાલસીમળ ગામે તાજેતરમાં એક 35 વર્ષિય મહિલા સાથે ક્રૂર અત્યાચાર ગુજારાયો હતો. મહિલાના પોતાના ઘરના જ પરિવારના સભ્યોએ અર્ધનગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવી હતી. આ ઘટના અંગે ખુદ હાઈકોર્ટે પણ સુઓમોટો લીધી છે. ત્યારે મહિલા સન્માનભેર જીવી શકે તે માટે પોલીસે  મદદ કરી છે. પોલીસે મહિલાને શાકભાજી અને ફળની દુકાન શરૂ કરી આપી છે.

‘આત્મ ગૌરવ’ નામની દુકાન શરૂ કરાવી

પીડિત મહિલાને ફતેપુરા બસ સ્ટેન્ડ નજીક ‘આત્મ ગૌરવ’ નામની શાકભાજી અને ફળની દુકાન શરૂ કરાવી છે. દુકાન માટે 11 માસનો કરાર કરવામાં આવ્યો છે. દુકાનનું ભાડું દાહોદ પોલીસે પોતાના સ્વભંડોળમાંથી 11 માસ માટે એડવાન્સમાં ચૂકવી દીધું છે. મહિલાને એક મહિના માટે પૂરતું શાકભાજીનું માલસામાન પણ પૂરો પાડવામાં આવ્યો  છે. દાહોદના જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપી ડી.આર.પટેલે આ દુકાનનું ઉદ્યાટન કર્યું હતું. પોલીસની આ કામગીરીની ચર્ચા થઈ રહી છે.

પોલીસ ટીમ મહિલાને મળતી રહેશે

મહિલાની સુરક્ષા માટે  શાકભાજીની દુકાનમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાની ફતેપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દુકાનની મુલાકાત લેતી રહેશે. દર અઠવાડિયે મુલાકાત લઈને મહિલાની પુછપરછ કરશે. કોઈ સતામણી ન થાય એ માટે CCTV કેમેરા પણ નાખી આપવામાં આવ્યા છે.

હાઈકોર્ટમાં થશે સુનાવણી

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બેન્ચ દ્વારા આ અરજી રિફર કરાઈ  છે. 12 ફેબ્રુઆરીએ આ વિશે વધુ સુનાવણી હાથ ધરાશે. જેમાં એક્શન ટેકન રિપોર્ટમાં રાજ્ય સરકાર જવાબ આપશે.   આ સમગ્ર ઘટના અંગે કોઈ નેતા બોલ્યા નથી. સાથે જ સરકાર પર સવલો ઉભા થયા છે. સરકારને હાઈકોર્ટમાં જવાબો આપવા પડી શકે છે.

 

આ પણ વાંચોઃ નાણામંત્રીને પ્રશ્ન; અમેરિકા ટેરિફ લગાવશે તો શું કરશો? જાણો શું જવાબ મળ્યો

શું હતી ઘટના?

મહિલાને ગામના જ ગોવિંદ લાલસિંગભાઇ રાઠોડ સાથે પ્રેમસબંધ હતો. જેથી 28 જાન્યુઆરીના રોજ  પરિણીતાના સાસરિયાઓએ  ગોવિંદના ઘરમાંથી મહિલાને કાઢી માનવતાને પણ લજવે તે રીતે માર માર્યો હતો.   સાસરી પક્ષના જ 15 જેટલાં લોકોએ ઘરમાંથી ખેંચીને બહાર કાઢી હતી. મહિલાને માર મરાયો હતો. ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરી સાંકળથી બાઈક સાથે બાંધવામાં આવી હતી. અને પછી એ જ અવસ્થામાં ગામમાં ફેરવવામાં આવી હતી. મહિલા આજીજી કરતી રહી પણ કોઈએ છોડી ન હતી.

 

 

આ પણ વાંચોઃ Delhi Elections: રાહુલ ગાંધીએ મતદાન કર્યું, મનીષ સિસોદિયાએ કાલકાજી મંદિરમાં પૂજા કરી

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

One thought on “Dahod News:  દાહોદ પોલીસની કામગીરીઃ અત્યાચારનો ભોગ બનેલી મહિલાને આત્મનિર્ભર બનાવી, દુકાન સહિત CCTV લગાવ્યા, સરકાર શું કરે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી