
- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025: (Delhi Assembly Elections 2025) આવી ગયા એક્ઝિટ પોલ- જાણો કોના પાસે જઈ રહી છે દિલ્હીની ગાદી
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા બુધવારે પૂર્ણ થઈ ગઈ. મતગણતરી 8 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે.
દિલ્હીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં લગભગ 58 ટકા મતદાન નોંધાયું છે. કુલ મતદાનનો અંતિમ આંકડો હજુ આવવાનો બાકી છે. વર્ષ 2020 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 62.55 ટકા મતદાન થયું હતું. 2015માં લગભગ 67 ટકા મતદાન થયું હતું.
ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવવા માટે અલગ અલગ એક્ઝિટ પોલ આવવા લાગ્યા છે.
અત્યાર સુધી બહાર આવેલા તમામ એક્ઝિટ પોલમાં ભાજપ આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી તરીકે દર્શાવવામાં આવી છે.
જો એક્ઝિટ પોલની આગાહીઓ સાચી સાબિત થાય છે, તો ભાજપ 26 વર્ષ પછી દિલ્હીમાં સરકાર બનાવી શકે છે.
મેટ્રિક્સના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 32 થી 37 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે ભાજપને 35 થી 40 બેઠકો અને કોંગ્રેસને 0-1 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલમાં ભાજપને 39 થી 44 બેઠકો, આમ આદમી પાર્ટીને 25 થી 28 બેઠકો અને કોંગ્રેસને 2 થી 3 બેઠકો આપવામાં આવી છે.
ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલમાં ભાજપને 39-45 બેઠકો, આમ આદમી પાર્ટીને 22-31 બેઠકો અને કોંગ્રેસને 0-2 બેઠકો આપવામાં આવી છે.
JVC પોલમાં ભાજપને 39 થી 45 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે આમ આદમી પાર્ટીને 22 થી 31 બેઠકો અને કોંગ્રેસને 0-2 બેઠકો મળવાનો અંદાજ છે.
આ પણ વાંચો- સોનાના ભાવમાં રૂપિયા 1500 રૂપિયાનો ધરખમ વધારો; 87300ની રેકોર્ડ ટોચે
પીપલ્સ પલ્સ-કોડેમા એક્ઝિટ પોલમાં, ભાજપને 51 થી 60 બેઠકો અને આમ આદમી પાર્ટીને 10 થી 19 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક આપવામાં આવી નથી.
પોલ ડાયરી એક્ઝિટ પોલમાં ભાજપને 42 થી 50 બેઠકો અને કોંગ્રેસને 18 થી 25 બેઠકો જીતવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આમાં કોંગ્રેસને 0-2 બેઠકો મળવાની ધારણા છે.
પીપલ્સ ઇનસાઇટના એક્ઝિટ પોલમાં ભાજપને 40-44 અને આમ આદમી પાર્ટીને 25-29 બેઠકો આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને 0-1 બેઠક આપવામાં આવી છે.
પી-માર્કના એક્ઝિટ પોલમાં ભાજપને 39-49 બેઠકો મળવાનો અંદાજ છે. આ પોલમાં AAP ને 21-31 બેઠકો આપવામાં આવી છે, જ્યારે કોંગ્રેસને 0-1 બેઠકો મળવાનો અંદાજ છે.
આ પણ વાંચો- સોનાના ભાવમાં રૂપિયા 1500 રૂપિયાનો ધરખમ વધારો; 87300ની રેકોર્ડ ટોચે
એક્ઝિટ પોલ શું છે અને તે કેવી રીતે હાથ ધરવામાં આવે છે?
એક્ઝિટ પોલનો અર્થ થાય છે બહાર જવું. તેથી “exit” શબ્દ પોતે જ કહે છે કે આ મતદાન શું છે.
ચૂંટણીમાં મતદાન કર્યા પછી જ્યારે કોઈ મતદાર બૂથની બહાર આવે છે, ત્યારે તેને પૂછવામાં આવે છે કે શું તે જાહેર કરવા માંગે છે કે તેણે કયા પક્ષ કે કયા ઉમેદવારને મત આપ્યો છે.
એક્ઝિટ પોલ કરતી એજન્સીઓ પોતાના લોકોને મતદાન મથકોની બહાર ઉભા રાખે છે. મતદાન કર્યા પછી મતદારો બહાર આવે છે ત્યારે તેમને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો.
કેટલાક અન્ય પ્રશ્નો પણ પૂછી શકાય છે, જેમ કે વડાપ્રધાન પદ માટે તમારા મનપસંદ ઉમેદવાર કોણ છે, વગેરે વગેરે.
સામાન્ય રીતે મતદાન મથક પર દરેક દસમા મતદારને અથવા જો મતદાન મથક મોટું હોય તો દરેક વીસમા મતદારને એક પ્રશ્ન પૂછવામાં આવે છે.
મતદારો પાસેથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરીને, ચૂંટણી પરિણામો શું હશે તેની આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો- અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને વ્હારે આવ્યા નીતિન પટેલ; કહ્યું- તેઓ ક્રિમિનલ નથી