
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીપંચે તારીખોની જાહેરાત કરી દીધી છે. દિલ્હીની 70 સીટો પર એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતોની ગણતરી 8મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. ત્યારે હવે ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પાર્ટીઓમાં હલચલ શરુ થઈ ગઈ છે. તમામ પાર્ટીઓએ વિધાનસભા ચૂંટણી જીતવા માટે મથામણ શરુ કરી દીધી છે. હાલ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ત્યારે આ વખતે ચૂંટણીમાં કોણ બાજી મારશે તેને લઈ ચર્ચાઓ થવા લાગી છે. અરવિંદ કેજરીવાલ છેલ્લા બે વર્ષથી દારુ લિકર પોલીસ સામેની કાર્યવાહીમાં ઝઝૂમી રહ્યા છે. ત્યારે આ વખતે AAP પાર્ટીનું ભવિષ્ય કેવું રહેશે તેવી ચર્યાઓએ જોર પકડ્યું છે. જ્યારે બીજી તરફ ભાજપ દિલ્હી ચૂંટણી જીતવા અનેક કાવાદાવા કરી રહી છે. ભાજપ સહિત કોંગ્રેસે આ વખતે ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે આ વખતે AAP પાર્ટી સામે કેવા પડકારો છે, તો આ વખતે દિલ્હીની ગાદી પર કોણ સંભાણશે?. તે તમામ મુદ્દે ‘THE ગુજરાત REPORT’ના એડિટર અને ફાઉન્ડર મયૂર જાની સાથે AAPના વંશરાય દુબેએ વિગતવાર ચર્ચા કરી.
આ પણ જુઓઃ AMRELI: પાટીદાર યુવતીએ લખેલો લેટર ખરેખર સાચો કે ખોટો? જાણો!