Dharma: દુર્ગા સપ્તશતીનું માહાત્મ્ય, સાચા હૃદયથી માની ભક્તિ કરવાથી અવશ્યપણે પ્રાપ્ત થાય છે માના આશીર્વાદ

  • Dharm
  • July 18, 2025
  • 0 Comments

Dharma: મા દુર્ગાની પરમ કૃપા મેળવવા માટે અનેક સ્તુતિ-સ્તોત્રો લખાયાં છે અને એનું પઠન, ગાયન અને શ્રવણ મનને શક્તિ આપે છે પરંતુ દુર્ગા સપ્તશતી એ સૌમાં સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ ફળદાયી અને અસરકારક છે. સાચા હૃદયથી માની ભક્તિ કરવાથી અવશ્યપણે માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગઈ કાલે દુર્ગા સપ્તશતીના 1થી 5 અધ્યાય વિશે જાણ્યું. આજે 6થી 13 અધ્યાય વિશેની માહિતી અહીં પ્રસ્તુત છે.

દુર્ગા સપ્તશતી અધ્યાય – 6

કોઈ પણ પ્રકારની તંત્રબાધા દૂર કરવા માટે આ અધ્યાયનો પાઠ કરવામાં આવે છે. એ સિવાય કોઈએ જાદુ-ટોના કર્યું હોય, મેલી વિદ્યાથી પરિવારને બાંધી દીધો હોય કે પછી રાહુ અને કેતુથી તમે પીડિત હો તો છઠ્ઠા અધ્યાયનો પાઠ આ તમામ કષ્ટમાંથી મુક્તિ અપાવે છે.

અધ્યાય – 7

કોઈ વિશિષ્ટ ઇચ્છા પૂરી કરવા માટે દુર્ગા સપ્તશતીનો સાતમો અધ્યાય સર્વોત્તમ છે. સાચા અને નિર્મણ હૃદયથી મા મહિષાસુરમર્દિનીની પૂજા કરવામાં આવે અને સાથેસાથ્ આ સાતમા અધ્યાયનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિની ઇચ્છા અવશ્ય પૂરી થાય છે.

અધ્યાય – 8

કોઈ પ્રિયજન સાથેનો વિયોગ હોય, કોઈ ખોવાઈ ગયું હોય અને ભાળ ન મળતી હોય. અનેક પ્રયત્નો છતાં એ સ્વજન મળતું ન હોય ત્યારે વિખૂટા પડી ગયેલા અને વિયોગી સ્વજન સાથે મેળાપ કરાવવામાં દુર્ગા સપ્તશતીનો આઠમો અધ્યાય ચમત્કારિક પરિણામ આપે છે. આ સિવાય વશીકરણ માટે પણ આ અધ્યાયનો પાઠ કરવામાં આવે છે પરંતુ વશીકરણ યોગ્ય વ્યક્તિ માટે કરવામાં આવવું જોઈએ અને સદ્ઇચ્છા માટે કરવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીંતર લાભને બદલે હાનિ થઈ શકે છે. એ સિવાય ધનલાભ માટે, ધનની પ્રાપ્તિ માટે પણ આઠમા અધ્યાયનો પાઠ કરવાનું ઘણું શુભ માનવામાં આવે છે.

અધ્યાય – 9

નવમા અધ્યાયનો પાઠ સંતાનપ્રાપ્તિ માટે કરવામાં આવે છે. પુત્રપ્રાપ્તિ માટે કે સંતાન સંબંધી કોઈ પણ સમસ્યાના નિવારણ માટે દુર્ગા સપ્તશતીના નવમા અધ્યાયનો પાઠ કરવામાં આવે છે. આ સિવાય સંતાનની ઉન્નતિ-પ્રગતિ માટે તથા કોઈ પણ પ્રકારની ખોવાઈ ગયેલી અમૂલ્ય-કીમતી વસ્તુની પ્રાપ્તિ માટે પણ નવમા અધ્યાયનો પાઠ કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ અધ્યાય મનુષ્યની સર્વ પ્રકારની ઇચ્છાની પૂર્તિ માટે સહાયક બને છે.

અધ્યાય – 10

સંતાન ખોટી સંગતમાં ફસાયું હોય કે ખોટા રસ્તે હોય ત્યારે આવાં ભટકી ગયેલા સંતાનને સાચા માર્ગે લાવવા, સારી સંગતમાં લાવવા માટે દસમો અધ્યાય સર્વશ્રેષ્ઠ છે. સારા અને યોગ્ય પુત્રની ઇચ્છા સાથે દસમા અધ્યાયનો પાઠ કરવામાં આવે તો યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત સંતાન સાચા માર્ગે ચાલે છે.

અધ્યાય – 11

વેપારમાં હાનિ હોય અને અકારણ પૈસા વેડફાઈ રહ્યા હોય, કોઈ પણ પ્રકારે ધનહાનિ થતી હોય ત્યારે આ અધ્યાયનો પાઠ કરવાથી ઉત્તમ ફળ મળે છે. એના પ્રભાવથી મનુષ્યને અકારણ ખર્ચા બંધ થઈ જાય છે અને ઘરમાં સુખશાંતિનો વાસ થાય છે.

અધ્યાય – 12

આ અધ્યાયના પાઠ કરવાથી વ્યક્તિના માન—ન્માનની પ્રાપ્તિ થાય છે. એ સિવાય જે વ્યક્તિ સામે ખોટી રીતે દોષારોપણ કરાયું હોય અને એના સન્માનની હાનિ થતી હોય ત્યારે એવી સ્થિતિથી બચવા માટે દુર્ગા સપ્તશતીના બારમા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. એ સિવાય રોગમુક્તિ માટે પણ 12મા અધ્યાયનો પાઠ કરવાથી લાભ થાય છે. કોઈ પણ અસાધ્ય રોગ હોય અને સારવાર કે દવાની કોઈ અસર ન થતી હોય ત્યારે 12મા અધ્યાયનો પાઠ કરવાથી ઉત્તમ પરિણામ મળે છે.

અધ્યાય – 13

દુર્ગા સપ્તશતીનો તેરમો પાઠ મા ભગવતીની ભક્તિ આપે છે. કોઈ પણ સાધના પછી મા દુર્ગાની પૂર્ણ ભક્તિ માટે આ અધ્યાયનો પાઠ બહુ જ મહત્ત્વનો હોય છે. કોઈ વિશિષ્ટ ઇછ્ચા પૂરી કરવા માટે કે કોઈ પણ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે આ અધ્યાયનો પાઠ બહુ જ પ્રભાવશાળી મનાયો છે.

આ પણ વાંચો:  
 
 
 
 
 
 
 
  • Related Posts

    Bhai Dooj 2025: ભાઈ બીજ પર આ સમયે તિલક લગાવો અને ઇચ્છિત આશીર્વાદ મેળવો! જાણો શુભ સમય અને તેના મહત્વ વિશે
    • October 23, 2025

    Bhai Dooj 2025: કાર્તિક મહિનાના શુક્લ પક્ષ (તેજસ્વી પખવાડિયા) ના બીજા દિવસે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે, બહેનો તેમના ભાઈઓને પવિત્ર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય…

    Continue reading
    Diwali 2025: દિવાળી પર સવારથી સાંજ સુધી કરો આ 7 કામ, દેવી લક્ષ્મી આખું વર્ષ તમારા પર રહેશે મહેરબાન
    • October 20, 2025

    Diwali 2025: દિવાળીનો આ તહેવાર ખુશીઓનો તહેવાર છે. શાસ્ત્રોમાં દિવાળીની રાત્રિને ‘સુખરાત્રી’, ‘દીપલિકા’, વ્રતપ્રકાશ અને ‘સુખ સુપ્તિકા’ નામ આપવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે આ દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

    • October 31, 2025
    • 2 views
    Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

    Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

    • October 31, 2025
    • 7 views
    Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

    IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

    • October 31, 2025
    • 9 views
    IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

    Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

    • October 31, 2025
    • 11 views
    Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

     AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

    • October 31, 2025
    • 9 views
     AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું-  “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

    UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

    • October 31, 2025
    • 12 views
    UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…