Dharma: દુર્ગા સપ્તશતીનું માહાત્મ્ય, સાચા હૃદયથી માની ભક્તિ કરવાથી અવશ્યપણે પ્રાપ્ત થાય છે માના આશીર્વાદ

  • Dharm
  • July 18, 2025
  • 0 Comments

Dharma: મા દુર્ગાની પરમ કૃપા મેળવવા માટે અનેક સ્તુતિ-સ્તોત્રો લખાયાં છે અને એનું પઠન, ગાયન અને શ્રવણ મનને શક્તિ આપે છે પરંતુ દુર્ગા સપ્તશતી એ સૌમાં સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ ફળદાયી અને અસરકારક છે. સાચા હૃદયથી માની ભક્તિ કરવાથી અવશ્યપણે માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગઈ કાલે દુર્ગા સપ્તશતીના 1થી 5 અધ્યાય વિશે જાણ્યું. આજે 6થી 13 અધ્યાય વિશેની માહિતી અહીં પ્રસ્તુત છે.

દુર્ગા સપ્તશતી અધ્યાય – 6

કોઈ પણ પ્રકારની તંત્રબાધા દૂર કરવા માટે આ અધ્યાયનો પાઠ કરવામાં આવે છે. એ સિવાય કોઈએ જાદુ-ટોના કર્યું હોય, મેલી વિદ્યાથી પરિવારને બાંધી દીધો હોય કે પછી રાહુ અને કેતુથી તમે પીડિત હો તો છઠ્ઠા અધ્યાયનો પાઠ આ તમામ કષ્ટમાંથી મુક્તિ અપાવે છે.

અધ્યાય – 7

કોઈ વિશિષ્ટ ઇચ્છા પૂરી કરવા માટે દુર્ગા સપ્તશતીનો સાતમો અધ્યાય સર્વોત્તમ છે. સાચા અને નિર્મણ હૃદયથી મા મહિષાસુરમર્દિનીની પૂજા કરવામાં આવે અને સાથેસાથ્ આ સાતમા અધ્યાયનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિની ઇચ્છા અવશ્ય પૂરી થાય છે.

અધ્યાય – 8

કોઈ પ્રિયજન સાથેનો વિયોગ હોય, કોઈ ખોવાઈ ગયું હોય અને ભાળ ન મળતી હોય. અનેક પ્રયત્નો છતાં એ સ્વજન મળતું ન હોય ત્યારે વિખૂટા પડી ગયેલા અને વિયોગી સ્વજન સાથે મેળાપ કરાવવામાં દુર્ગા સપ્તશતીનો આઠમો અધ્યાય ચમત્કારિક પરિણામ આપે છે. આ સિવાય વશીકરણ માટે પણ આ અધ્યાયનો પાઠ કરવામાં આવે છે પરંતુ વશીકરણ યોગ્ય વ્યક્તિ માટે કરવામાં આવવું જોઈએ અને સદ્ઇચ્છા માટે કરવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીંતર લાભને બદલે હાનિ થઈ શકે છે. એ સિવાય ધનલાભ માટે, ધનની પ્રાપ્તિ માટે પણ આઠમા અધ્યાયનો પાઠ કરવાનું ઘણું શુભ માનવામાં આવે છે.

અધ્યાય – 9

નવમા અધ્યાયનો પાઠ સંતાનપ્રાપ્તિ માટે કરવામાં આવે છે. પુત્રપ્રાપ્તિ માટે કે સંતાન સંબંધી કોઈ પણ સમસ્યાના નિવારણ માટે દુર્ગા સપ્તશતીના નવમા અધ્યાયનો પાઠ કરવામાં આવે છે. આ સિવાય સંતાનની ઉન્નતિ-પ્રગતિ માટે તથા કોઈ પણ પ્રકારની ખોવાઈ ગયેલી અમૂલ્ય-કીમતી વસ્તુની પ્રાપ્તિ માટે પણ નવમા અધ્યાયનો પાઠ કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ અધ્યાય મનુષ્યની સર્વ પ્રકારની ઇચ્છાની પૂર્તિ માટે સહાયક બને છે.

અધ્યાય – 10

સંતાન ખોટી સંગતમાં ફસાયું હોય કે ખોટા રસ્તે હોય ત્યારે આવાં ભટકી ગયેલા સંતાનને સાચા માર્ગે લાવવા, સારી સંગતમાં લાવવા માટે દસમો અધ્યાય સર્વશ્રેષ્ઠ છે. સારા અને યોગ્ય પુત્રની ઇચ્છા સાથે દસમા અધ્યાયનો પાઠ કરવામાં આવે તો યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત સંતાન સાચા માર્ગે ચાલે છે.

અધ્યાય – 11

વેપારમાં હાનિ હોય અને અકારણ પૈસા વેડફાઈ રહ્યા હોય, કોઈ પણ પ્રકારે ધનહાનિ થતી હોય ત્યારે આ અધ્યાયનો પાઠ કરવાથી ઉત્તમ ફળ મળે છે. એના પ્રભાવથી મનુષ્યને અકારણ ખર્ચા બંધ થઈ જાય છે અને ઘરમાં સુખશાંતિનો વાસ થાય છે.

અધ્યાય – 12

આ અધ્યાયના પાઠ કરવાથી વ્યક્તિના માન—ન્માનની પ્રાપ્તિ થાય છે. એ સિવાય જે વ્યક્તિ સામે ખોટી રીતે દોષારોપણ કરાયું હોય અને એના સન્માનની હાનિ થતી હોય ત્યારે એવી સ્થિતિથી બચવા માટે દુર્ગા સપ્તશતીના બારમા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. એ સિવાય રોગમુક્તિ માટે પણ 12મા અધ્યાયનો પાઠ કરવાથી લાભ થાય છે. કોઈ પણ અસાધ્ય રોગ હોય અને સારવાર કે દવાની કોઈ અસર ન થતી હોય ત્યારે 12મા અધ્યાયનો પાઠ કરવાથી ઉત્તમ પરિણામ મળે છે.

અધ્યાય – 13

દુર્ગા સપ્તશતીનો તેરમો પાઠ મા ભગવતીની ભક્તિ આપે છે. કોઈ પણ સાધના પછી મા દુર્ગાની પૂર્ણ ભક્તિ માટે આ અધ્યાયનો પાઠ બહુ જ મહત્ત્વનો હોય છે. કોઈ વિશિષ્ટ ઇછ્ચા પૂરી કરવા માટે કે કોઈ પણ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે આ અધ્યાયનો પાઠ બહુ જ પ્રભાવશાળી મનાયો છે.

આ પણ વાંચો:  
 
 
 
 
 
 
 
  • Related Posts

    Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?
    • July 19, 2025

    Dharma:  કળિયુગમાં મનુષ્યના કલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય દાન છે, એ કાલે આપણે સમજ્યા. શાસ્ત્રોમાં દાન કોને, ક્યારે અને ક્યાં આપવું, એનું માહાત્મ્ય પણ સમજાવ્યું છે. એ પ્રમાણે શુભ સ્થળે,…

    Continue reading
    “VIRAL GURU” અનિરુદ્ધાચાર્યનાં અધૂરા ઘડાંમાં કાણું પાડતાં જ્ઞાની પંડિત
    • July 18, 2025

    સોશિયલ મિડીયા પર છવાયેલા રહેતાં અનિરુદ્ધાચાર્યની મૂર્ખતાને વૃદ્ધ પંડિતે ઉઘાડી પાડી Aniruddhacharyaji Maharaj – સોશિયલ મિડીયા પર જેમની રીલ્સની ભરમાર છવાયેલી છે. જે સલમાન ખાનના રિયાલીટી શો બીગ બોસના સેટ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

    • August 7, 2025
    • 1 views
    Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

    UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

    • August 7, 2025
    • 17 views
    UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

    Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

    • August 7, 2025
    • 13 views
    Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

    Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

    • August 7, 2025
    • 21 views
    Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

    Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

    • August 7, 2025
    • 21 views
    Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

    Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

    • August 7, 2025
    • 12 views
    Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી