‘મનની વાત કહેવાથી ભારતનું ભલુ ના થાય, કોઈ આપણને જ ઉડાવી દે’, Dhirendra Shastriએ રક્ષામંત્રીને શું કહ્યું?

  • India
  • April 27, 2025
  • 6 Comments

Dhirendra Shastri Advice Rajnath Singh on Terror Attacks: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દેશના નાગરિકો ઇચ્છે છે કે સરકાર આતંકવાદ સામે કડક કાર્યવાહી કરે. આ દિશામાં સરકારે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. સામે પાકિસ્તાને પણ પગલા લીધા છે. તેણે શીમલા કરાર રદ કરી નાખ્યો છે. તેણે ભારતને કહ્યું કે જો પાકિસ્તાની નાગરિકોના મોત થયા તો પગલાં લેવામાં આવશે. જો કે આ વચ્ચે  મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પીડિત પરિવારોને ચોક્કસ ન્યાય મળશે અને ગુનેગારોને કડક સજા આપવામાં આવશે. હવે બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંરક્ષણ મંત્રીને રાષ્ટ્રીય હિતમાં તેમની “શક્તિ”નો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

એક વાયરલ વીડિયોમાં કથા દરમિયાન આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી કહી રહ્યા છે કે, “અમે ભારતના સંરક્ષણ પ્રધાનને પણ અમારી શક્તિનો સારો ઉપયોગ કરવા કહીશું. અમે સત્તાવાર રીતે કોઈ અધિકારી બની શકતા નથી, અમે ભણેલાગણેલા નથી, પરંતુ અમારી પાસે જે ચેતના છે, હનુમાનજીની કૃપા છે, તેનો ઉપયોગ રાષ્ટ્રીય હિતમાં કરીએ.”

“…કોઈ આપણને ઉડાવી દેશે” – ધીરેન્દ્ર શાસ્ત્રી

તેમણે વધુમાં કહ્યું “આપણી શક્તિનો ઉપયોગ ભવિષ્યમાં ક્યાં, શું અને કઈ સંભવિત ઘટનાઓ બની શકે છે તે નક્કી કરવા માટે થવો જોઈએ, પરંતુ આ બધું ગુપ્ત રીતે થવું જોઈએ. જો આપણે ખુલ્લેઆમ કહીશું, તો કોઈ આપણને ઉડાવી દેશે. આપણે હવે ભારત માટે પણ, રાષ્ટ્રીય હિત માટે કામ શરૂ કરી રહ્યા છીએ, જેનો દેશને ફાયદો થશે. ફક્ત ‘મન કી બાત’ બોલીને દેશને ફાયદો થશે નહીં.”

જો કે રક્ષા મંત્રીને સલાહ આપવા જતાં ખુદ ધીરેન્દ્ર શાસ્ત્રી ફસાયા છે. તેઓ ટ્રોલ થઈ રહ્યા છે લોકો કહી રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આટલા મહાન છે તો પહેલગામ હુમલાની ભવિષ્યવાણી કેમ ન કરી? તેમણે હુમલા અંગે પરછી કેમ ન કાઢી?

મોદીએ પોતાના મનની વાત શું કહી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને ખૂબ જ દુઃખી કર્યો છે. દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ છે. હું પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, અને તેમને ચોક્કસ મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે. જો કે ભારત સરકાર દ્વારા વ્યૂહાત્મક ભગલાં ભરવામાં આવી રહ્યા નથી. પાકિસ્તાન ભારત સામે ચટોર થઈને પગલાં લઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ

MP Accident: મધ્યપ્રદેશના મંદસૌરમાં ઇકો વાન કુવામાં ખાબકતાં 10ના મોત

હિંમત હોય તો કહીને બતાવો ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ!, ભાઈની શહીદી પર રફીકુલ શેખનું ભાષણ | Zantu Ali Sheikh

UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?

MP: બાઈક સાથે અથડાઈ કાર સીધી કૂવામાં પડી, 5ના મોત, કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા

ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty

 

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 1 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 3 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 2 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 4 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 9 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 7 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ