Dog bites in Gujarat : ગુજરાતમાં 3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરાઓએ કરડી ખાધા, 600 કરોડનો ખર્ચ છતા કોઈ ફાયદો નહીં

અહેવાલ: દિલીપ પટેલ

Dog bites in Gujarat : તાજેતરમાં દિલ્હીમાં દિલ્હી-એનસીઆરમાં કૂતરા કરડવાની વધતી જતી ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી એમસીડી અને એનડીએમસીને તાત્કાલિક અસરથી તમામ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને પકડવાનું શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ રખડતા કુતરાઓના ત્રાસમાં વધારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં રખડતા કુતરાઓનો ત્રાસ વધ્યો

ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ બધી છે.

ખર્ચ

3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરા કરડેલા છે. એક કુતરું કરડે છે એટલે માણસની સારવાર પાછળ એકથી બે હજાર રૂપિયાનું સરેરાશ સરકાર અને પ્રજાને ખર્ચ થાય છે. તે હિસાબે રૂ. 100થી 200 કરોડનું ખર્ચ માણસને સારવાર અને વેક્સીનનું ખર્ચ થાય છે. તેની સાથે માણસનો સમય અને નોકરી ધંધા પર ન જઈ શકતાં બીજા એટલાં જ અને શહેરની સરકારો ખસીકરણ માટે એટલું જ ખર્ચ કરે છે. આમ ગુજરાતમાં કુતરા હવે મોંઘા પડી રહ્યાં છે. રૂ.300 કરોડથી 600 કરોડનો ખર્ચ થાય છે. સરેરાશ એ માણસે રૂ. 100નો ખર્ચ થાય છે.

ઉપાય

કુતરાનો સારો ઉપાય એ છે કે, કરડતા કુતરાને પકડીને દીપડાઓ જે જંગલમાં રહેતા હોય ત્યાં છોડી દેવા જોઈએ. જેથી દુધાળા પશુઓનો શિકાર બચાવી શકાય અને કુતરાને તેના ખોરાક તરીકે આપી શકાય

નિષ્ફળ તંત્ર

ગુજરાતમાં વર્ષ 200થી 2024સુધીના ત્રણ વર્ષ અને 2025 ના જાન્યુઆરી માસ મળીને રાજ્યમાં કૂતરા કરડવાના કુલ 8,94,679 બનાવ બન્યા છે. એકલદોકલ બાળકો-વૃદ્ધો ઉપર પણ હવે હુમલો કરતા કૂતરાઓનો આટલો ઉત્પાત છતાં રાજ્ય સરકાર આટલી ખરાબ સ્થિતિને નિયંત્રણમાં લઇ શકી નથી અને 2025 ના જાન્યુઆરી મહિનામાં જ 53,942 નાગરિકોને કૂતરા કરડ્યા છે.ગામડાઓમાં સરપંચ અને શહેરના મેયર કુતરા કરડવા જેવી બાબતથી પણ મુક્તિ અપાવી શકતા નથી. રસ્તા પર જતા વ્યક્તિ કે વાહન ચાલકને કૂતરાના ત્રાસથી ડરતા રહેવું પડે તેવી સ્થિતિ છે.

લોકસભા

લોકસભામાં એક સવાલના જવાબમાં રજૂ કરાયેલા આંકડા ચોંકાવનારા છે કારણકે દર વર્ષે કુતરા કરડવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં રોજના સરેરાશ 1800 લોકોને કૂતરા કરડે છે. તે જોતા મહાનગરોમાં કુતરા પકડવાનું કે તેના ખસીકરણની કામગીરી કેટલી કંગાળ હશે તે સ્પષ્ટ છે. કેટલાક રાજ્યને બાદ કરતા ગુજરાતમાં કુતરા કરડવાનું પ્રમાણ વધારે હોવાનું પણ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.

દેશ

2025 ના જાન્યુઆરીના આંકડા મુજબ ગુજરાતમાં કૂતરા કરડવાના 53,942 બનાવ સામે બિહારમાં 34,442, દિલ્હીમાં 3196, કર્ણાટકમાં 39,437, મધ્યપ્રદેશમાં 16,170, મહારાષ્ટ્રમાં 56,537, રાજસ્થાનમાં 15,062 અને ઉત્તરપ્રદેશમાં 20,478 બનાવ બન્યા હતા.

કેન્દ્રના પશુપાલન વિભાગે બેંગલુરુ મહાનગરે કૂતરાઓની સંખ્યા નિયંત્રિત કરવા કરેલી કામગીરીની ખાસ નોંધ લીધી છે. ખસીકરણની ટકાવારીમાં 20 ટકા જેટલી સિદ્ધિ થઇ છે. તેથી કૂતરાઓની વસતીને અને જન્મ નિયંત્રણ અંકુશમાં લઈ શકાય છે.

અમદાવાદમાં સાત વર્ષમા295164 જેટલા લોકોને કુતરા કરડવાના બનાવ બનવા પામ્‍યા છે. કયા વર્ષમાં કેટલા કેસ તે નીચે મુજબ છે.

વર્ષ કુલ કેસ

2006: 18,414
2007: 19,872
2008: 24,445
2009: 27,136
2016: 34,969
2017: 24,082

નવ વર્ષમાં નવ કરોડ રૂપિયાનો ખર્ચ છતાં 4.22 લાખ લોકોને કૂતરા કરડયા હોવાનું સામે આવ્યું  છે.

કુતરાનો સારો ઉપાય એ છે કે, કરડતા કુતરાને પકડીને દીપડાઓના ખોરાક માટે જંગલમાં છોડી દો. માણસો અને દુધાળા પશુઓનો શિકાર બચાવી શકાય અને કુતરાને તેના ખોરાક તરીકે આપી શકાય.

કૂતરાઓનો ઉત્પાતને રોકવામાં તંત્ર નિષ્ફળ

કૂતરાઓનો ઉત્પાત છતાં શહેરની સરકાર અને રાજ્ય સરકાર ખરાબ સ્થિતિને નિયંત્રણમાં લઇ શકી નથી.  ગામડાઓમાં સરપંચ અને શહેરના મેયર કુતરા કરડવા જેવી બાબતથી પણ મુક્તિ અપાવી શકતા નથી. રસ્તા પર જતા વ્યક્તિ કે વાહન ચાલકને કૂતરાના ત્રાસથી ડરતા રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: 

Rahul Gandhi on vote chori: રાહુલ ગાંધીની ‘મત ચોરી’ વિરુદ્ધ ઝુંબેશ, વેબસાઇટ અને નંબર કર્યા જાહેર, લોકોને કરી આ અપીલ

Vadodara: ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોની ગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?

Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું

Madhya Pradesh: સાજિયા બની શારદા, પ્રેમી મયુર સાથે મહાદેવની સાક્ષીમાં કર્યા લગ્ન

MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ

  • Related Posts

    Vadodara: ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકનાર મુખ્ય આરોપીનું ભાજપ નેતાઓ સાથે કનેક્શન, શું આરોપીઓને રાજકીય બચાવ મળશે?
    • September 3, 2025

    Vadodara: ગણેશ ચતુર્થી દરમિયાન વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની આગમન યાત્રા દરમિયાન પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનામાં વડોદરા પોલીસે અત્યાર સુધી…

    Continue reading
    Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
    • September 3, 2025

     અહેવાલ: ડૉ. જયનારાયણ વ્યાસ Britain-China: ડ્રગ્સ તસ્કરી અને માફિયાઓના નામો અવારનવાર માધ્યમોમાં ચમકતા રહે છે. એમનો કાળો કારોબાર આખી દુનિયામાં ફેલાયેલો છે અને ભલભલી સરકારો એમના સામર્થ્ય આગળ નતમસ્તક થઈ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

    • September 4, 2025
    • 4 views
    Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

    Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

    • September 4, 2025
    • 20 views
    Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

    Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?

    • September 4, 2025
    • 15 views
    Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?

    Jolly LLB-3 controversy: ફિલ્મ જૉલી LLB-3ને મોટી રાહત, કોર્ટે ફિલ્મ વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી

    • September 4, 2025
    • 8 views
    Jolly LLB-3 controversy: ફિલ્મ જૉલી LLB-3ને મોટી રાહત, કોર્ટે ફિલ્મ વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી

    UP Accident: ભયંકર અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું મોત, પેટ ફાટી જતાં ભ્રૂણ રસ્તા પર પડ્યો, બાઈકને ડમ્પરે મારી ટક્કર

    • September 4, 2025
    • 27 views
    UP Accident: ભયંકર અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું મોત, પેટ ફાટી જતાં ભ્રૂણ રસ્તા પર પડ્યો, બાઈકને ડમ્પરે મારી ટક્કર

    Bihar Bandh:’ બિહાર બંધ તો ડિલિવરી પણ બંધ’ ભાજપના નેતાનો ગર્ભવતી મહિલાને શરમજનક જવાબ

    • September 4, 2025
    • 14 views
    Bihar Bandh:’ બિહાર બંધ તો ડિલિવરી પણ બંધ’ ભાજપના નેતાનો ગર્ભવતી મહિલાને શરમજનક જવાબ