
- ભલે PM મોદી ટ્રમ્પ વિરૂદ્ધ ન બોલ્યા પરંતુ બાબા રામદેવે હિંમત કરી નાંખી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલા ટેરિફને લઈને ચારેતરફ ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ ટેરિફ ઘટાડવાને લઈને ભારત સરકારની સંમતિ પણ ચર્ચાનો વિષય બની ગયો છે. આ પહેલા અમેરિકા દ્વારા ભારતીયોને હાથકડી પહેરાવીને ડિપોર્ટ કરવાના મુદ્દે મોદી સરકારના ઈજ્જતના કાંકરા થયા હતા.
તે પછી ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સરકારને ધમકાવીને પોતાના દેશ પર લગાવેલા ટેરિફ ઓછા કરાવ્યા છે તો તેના દ્વારા ભારત ઉપર વધારે ટેરિફ લગાવવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ બાબતે ન તો વિદેશ મંત્રાલય કોઈ નિવેદન આપી રહ્યુ છે ન અત્યાર સુધી પીએમ મોદીએ એક શબ્દનો ઉચ્ચારણ કર્યો છે.
જોકે, આ બધા વચ્ચે દેશના યોગગુરૂ અને પીએમ મોદીના નજીકના ગણાતા બાબા રામદેવે અમેરિકન રાષ્ટ્રપતિને લઈને ટિપ્પણી કરી છે. તેમને ટ્રમ્પના નિર્ણયને આર્થિક આતંકવાદ ગણાવતા ગંભીર આરોપો લગાવ્યા છે. તે ઉપરાંત અમેરિકામાં મંદિરો થયેલી તોડફોડ બાબતે કહ્યું કે, અમેરિકામાં મંદિરો ઉપર થઈ રહેલા ધાર્મિક હુમલાઓ ખુબ જ શરમજનક છે. તે બીજી વસ્તુ છે કે, ભારતમાં લઘુમતી લોકો ઉપર થતાં હુમલાઓ કે તોડી પાડવામાં આવતી મસ્જિદો વિશે ક્યારેય બાબાજીએ શરમ ભરી નથી.
Trade war | Tariff terrorism: Swami Ramdev’s fierce attack on Donald Trump
Watch: https://t.co/ldoa5xtCRu | #BabaRamdev #DonaldTrump #TariffTerrorism #EconomicCoercion #TradeWar pic.twitter.com/0X7cX5Bid2
— Business Today (@business_today) March 10, 2025
બાબા રામદેવે અમેરિકાને લઈને આપેલા નિવેદન પછી તેમનો એક જૂનું નિવેદન પણ વાયરલ થઈ રહ્યો છે. તે વખતે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બધુ સારૂં ચાલી રહ્યું હતું. તે સમય એવો હતો કે, પીએમ મોદી પોતે એક વખત ટ્રમ્પ સરકારની તરફેણમાં નારા લગાવી રહ્યા હતા.
તેથી બાબારામદેવ પોતાના મિત્ર મોદીની વાતને દોહરાવી રહ્યા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પના ગુણગાણ ગાઈ રહ્યા હતા. પરંતુ હવે અચાનક સ્થિતિ બદલાઈ ગઈ છે. ટ્રમ્પ પીએમ મોદીને ડરાવી-ધમકાવીને પોતાની વાતો મનાવી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે બાબા રામદેવ પણ લાલચોળ થઈ ગયા છે. આ ગુસ્સામાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સહિત પૂતિન-શી જિંનપિંગ અને કિંગજોંગ વિશે ટિપ્પણી કરી દીધી હતી.