ગૃહમંત્રીના નિવેદનને ભૂલાવવા રાહુલ પર કરાઈ FIR? ધક્કામુક્કી અંગે શક્તિસિંહે શું કહ્યું?

  • India
  • December 20, 2024
  • 0 Comments

ગઈકાલે સંસદના ચાલુ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ધક્કા મૂકી થઈ હતી. ધક્કામૂક્કીમાં બેથી વધુ ભાજપના નેતા પડી ગયા હતા. જેમાં ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો વગતા ગબડી પડ્યા હતા. આ ધક્કો રાહુલ ગાંધીએ માર્યો હોવાના આરોપ લાગ્યા હતા.

જેમાં સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. ત્યારે આ મામલો ગરમાતાં ગઈકાલે સાંજ જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ ભાજપ દ્વારા નોંધવામાં આવી હતી. આ મામલે હવે ભાજપ-કોંગ્રેસ એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સત્તા પક્ષે સંયમ જાળવવો જોઈએ. અમારી પાર્ટીના નેતા અને મહિલાઓને પણ ધક્કા મારવામાં આવ્યા છે. કોંગ્રેસના વખતમાં આવું થયું ન હતુ.

શક્તિસિંહ ગોહિલ વધુમાં કહ્યું હતુ કે ભાજપે ખોટા નિવેદનો આપી બીજા પર આંગળી ચીથી રહી છે. તેમના જ પક્ષમાંથી ગૃહમંત્રી અમિત શાહને સમજાવ્યા હતા. કે દેશનું બંધારણ ઘડનારને આંબેડર આંબેડર ન કહો. છતાં તેમણે વિવાદીત ભાષણ ચાલું રાખ્યું હતુ. બાબાસાહેબ આંબેડકરજીનું ઘોર અપમાન કર્યા પછી માફી માંગવાના બદલે ભારતીય જનતા પાર્ટી નૌટંકી કરે છે.

શક્તિસિંહે એમ પણ કહ્યું કે બાબા સાહેબ અંગે કરેલા વાણીવિલાસના મુદ્દાને ભૂલાવવા રાહુલ ગાંધી પર ફરિયાદ કરવામાં આવી છે. લોકોને આંબેડરના નિવેદનના મુદ્દા પરથી ધ્યાન ભટાકવવાનું કામ કર્યું છે.

જેથી હવે આંબેડર અને ધક્કામુક્કી મામલે રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો એક બીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. દેશના વિકાસના મુદ્દા ભૂલાવી પોતાની ચર્ચાઓમાં પડ્યા છે. સંસદમાં લોકિહતના મુદ્દાઓ ચર્ચાઈ થતી હોય છે. ત્યારે હાલ સંસદમાં વિવાદોની ચર્ચાએ જોર પકડયુ છે. આ હોબાળાથી દેશના નાગરિકોમાં પણ રોષ ફેલાયો છે.

અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડૉ. બી.આર. આંબેડકરના વારસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફૅશન થઈ ગઈ છે. અમિત શાહે કહ્યું, “હવે આ એક ફૅશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત.” અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે.

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad માં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 3 views
Ahmedabad માં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 10 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 14 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 17 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 28 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 37 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?