
Gandhinagar: ગુજરાતના આરોગ્યકર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દની હડતાળ પર ઉતર્યા છે. સાથે સાથે ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળવા જઈ રહ્યા છે. જેથી ગાંધીનગરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. એક બાજું વ્યાયામના શિક્ષકો પણ પોતાની માંગણીને લઈ વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર ચોમેરથી ઘેરાઈ છે.
17 માર્ચથી અચોક્કસ હડતાળ પર ઉતરેલા ગુજરાત પંચાયત વિભાગના આરોગ્યકર્મીઓની માગણીઓ ન સંતોષાતાં અને અત્યાર સુધી સરકારે કોઈ પગલાં ન લેતાં ગાંધનીગરમાં પહોંચ્યા છે. જ્યા વિધાનસભાનો ઘેરાવ કરી શકે છે. સાથે જ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે. આ વચ્ચે કેટલાંક લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 500 આરોગ્યકર્મીઓની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓ આંદોલન કરે તે પહેલા જ તેને રોકી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આરોગ્યમંત્રીનું માંગને લઈ નિવેદન
આરોગ્યકર્મીઓની હડતાળના મામલે આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે નિવેદન આપતાં કહ્યું છે કે ‘આરોગ્યકર્મીઓની આ હડતાળ ગેરવ્યાજબી છે. હું તેમને અપીલ કરું છું કે આ હડતાલ વહેલી તકે સમેટી લેવામાં આવે, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે.’
આરોગ્યકર્મીઓની શું માગણી?
મુખ્ય માંગણીઓમાં MPHW, FHW, MPHS, FHS, TMPH, THV અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ટેક્નિકલ ગ્રેડ, ખાતાકીય પરીક્ષા રદ કરવા અને પગાર વિસંગતતા દૂર કરવાની માગ છે.
આ પણ વાંચોઃ Gujarat: ફોન કરી સમસ્યાની જાણ મુખ્યમંત્રીને કરવાની, સરકારને આંખો નીચે સમસ્યાઓ દેખાતી નથી?
આ પણ વાંચોઃ Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો
આ પણ વાંચોઃ UP News: મહિલાનો પ્રાઈવેટ પાર્ટ પકડી નાડુ તોડવું બળાત્કારની કોશિશ નથી: હાઈકોર્ટનો ન્યાય
આ પણ વાંચોઃ Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!