Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

Gondal Amit Khunt uicide: દુષ્કર્મના આરોપમાં ફસાયેલા રીબડાના અમિત ખૂંટે પોતાના ખેતરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. અમિત ખૂંટ પર આરોપ હતો કે તેણે સગીરાને બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યું હતુ.જેમાં સગીરા તેના પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગઈકાલે એકાએક તેણે 3-4 પાનાની સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો છે. તેણે સ્યુસાઈડમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. વધુમાં યુવતીઓએ તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો.

પરિવારે આ મામલે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

આપઘાતને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને બે યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108, 61(2), 54 મુજબ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મૃત અમિત ખૂંટના મોટાભાઈ મનિષે નોંધાવી છે. મનીષભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે ગત વિધાનસભાની ચૂંટણી સમયે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહે જમીનો પડાવી લીધી હોય તેનો વિખવાદ થયો હતો. તે બાબતે અનિરૂધ્ધસિંહ તથા રાજદીપસિંહે અમીત ઉપર હુમલો કર્યો હતો, જે અંગે અમીતે તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હતી. વધુમાં અનિરૂધ્ધસિંહને પોપટભાઇ સોરઠીયા મર્ડર કેસમાં સજા માફી થયેલી હોવાથી, તે સજા માફી રદ કરવા અમીતે ગૃહવિભાગમાં અરજી કરી હતી. જેથી તે વાતનો ખાર રાખી અનિરૂધ્ધસિંહ તથા રાજદિપસિંહે પૈસા આપીને દુષ્કર્મની ફરિયાદી અને પુજા ગોરે અમીતને ફસાવવા અગાઉથી કાવતરૂં કરી હનીટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી માનસિક ત્રાસ આપી બદનામ કરી આત્મહત્યા કરવા મજબુર કર્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે અમીત ખૂંટ પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનો ટેકેદાર હતો. જયરાજસિંહ પર હાલ રાજકુમાર જાટની હત્યા મામલામાં ફસાયા છે. એવામાં અમિત આપઘાત કરી લેતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. જુઓ આ વીડિયો.

આ પણ વાંચોઃ

Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ

UP: 24 વર્ષિય શિક્ષક અને 14 વર્ષની વિદ્યાર્થીની વચ્ચે પ્રેમ, હોટલમાં કેમ કર્યો આપઘાત?

દેશમાં વાગશે સાયરન, હુમલાની સ્થિતિમાં લોકો કેવી રીતે બચવું તે શીખશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ | Mock Drill

દેશમાં વાગશે સાયરન, હુમલાની સ્થિતિમાં લોકો કેવી રીતે બચવું તે શીખશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ | Mock Drill

મહિસાગર જીલ્લામાં નાવડીમાં જાન પ્રસ્થાન, આ છે ગુજરાત મોડલ? | Mahisagar

Unseasonal rain: અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી, રાજકોટમાં કરા સાથે વરસાદ

 

  • Related Posts

    Ahmedabad plane crash: જાણો કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?
    • June 15, 2025

    Ahmedabad plane crash,  DNA report:  12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…

    Continue reading
    Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
    • June 13, 2025

    Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

    Continue reading

    One thought on “Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 14 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 16 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 19 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 11 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 28 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 17 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ