
Gondal Amit Khunt uicide: દુષ્કર્મના આરોપમાં ફસાયેલા રીબડાના અમિત ખૂંટે પોતાના ખેતરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. અમિત ખૂંટ પર આરોપ હતો કે તેણે સગીરાને બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યું હતુ.જેમાં સગીરા તેના પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગઈકાલે એકાએક તેણે 3-4 પાનાની સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો છે. તેણે સ્યુસાઈડમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. વધુમાં યુવતીઓએ તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો.
પરિવારે આ મામલે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
આપઘાતને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને બે યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108, 61(2), 54 મુજબ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મૃત અમિત ખૂંટના મોટાભાઈ મનિષે નોંધાવી છે. મનીષભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે ગત વિધાનસભાની ચૂંટણી સમયે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહે જમીનો પડાવી લીધી હોય તેનો વિખવાદ થયો હતો. તે બાબતે અનિરૂધ્ધસિંહ તથા રાજદીપસિંહે અમીત ઉપર હુમલો કર્યો હતો, જે અંગે અમીતે તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હતી. વધુમાં અનિરૂધ્ધસિંહને પોપટભાઇ સોરઠીયા મર્ડર કેસમાં સજા માફી થયેલી હોવાથી, તે સજા માફી રદ કરવા અમીતે ગૃહવિભાગમાં અરજી કરી હતી. જેથી તે વાતનો ખાર રાખી અનિરૂધ્ધસિંહ તથા રાજદિપસિંહે પૈસા આપીને દુષ્કર્મની ફરિયાદી અને પુજા ગોરે અમીતને ફસાવવા અગાઉથી કાવતરૂં કરી હનીટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી માનસિક ત્રાસ આપી બદનામ કરી આત્મહત્યા કરવા મજબુર કર્યો હતો.
જાણવા મળી રહ્યું છે કે અમીત ખૂંટ પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનો ટેકેદાર હતો. જયરાજસિંહ પર હાલ રાજકુમાર જાટની હત્યા મામલામાં ફસાયા છે. એવામાં અમિત આપઘાત કરી લેતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. જુઓ આ વીડિયો.
આ પણ વાંચોઃ
Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ
UP: 24 વર્ષિય શિક્ષક અને 14 વર્ષની વિદ્યાર્થીની વચ્ચે પ્રેમ, હોટલમાં કેમ કર્યો આપઘાત?
મહિસાગર જીલ્લામાં નાવડીમાં જાન પ્રસ્થાન, આ છે ગુજરાત મોડલ? | Mahisagar
Unseasonal rain: અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી, રાજકોટમાં કરા સાથે વરસાદ
