
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરપ્રદેશના પ્રાયગરાજમાં યોજાયેલા કુંભના મેળામાં પહોંચ્યા છે. જ્યા ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી, યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે કુંભ વિસ્તારમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈને પણ ક્યાંય કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે કરેલી વ્યવસ્થા અદ્ભુત છે. સ્વચ્છતાથી લઈને દરેક સુવિધા સુધી, બધું જ ખૂબ સારું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે સવારે 9 વાગ્યે વિમાન દ્વારા પ્રયાગરાજ પહોંચ્યા હતા. રાજ્યના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ તેમનું સ્વાગત કર્યું. અહીંથી તેઓ સીધા બડે હનુમાન મંદિર ગયા, જ્યાં તેમણે સંપૂર્ણ વિધિ અને વૈદિક મંત્રોના જાપ સાથે પૂજા અને આરતી કરી હતી.
400 બેડવાળા શયનગૃહનું પણ ઉદ્ઘાટન
બડે હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા કર્યા પછી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેક્ટર 7 સ્થિત ગુજરાત પેવેલિયન પહોંચ્યા. અહીં તેમણે મંડપનું નિરીક્ષણ કર્યું. ગુજરાત પેવેલિયનમાં, તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી આશ્રમ અને સૂર્ય મંદિરની પ્રતિકૃતિઓનું નિરીક્ષણ કર્યું, સાથે જ મેડિકલ કેમ્પ, સાહિત્ય સ્ટોલ અને અન્ય ગેલેરીઓની પણ મુલાકાત લીધી. અહીં તેમણે ગુજરાતના ઉત્પાદનોના પ્રદર્શનની પણ મુલાકાત લીધી અને બધી વ્યવસ્થાઓની પ્રશંસા કરી. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે, તેમણે અહીં 400 બેડવાળા શયનગૃહનું પણ ઉદ્ઘાટન કર્યું હતુ.
ગુજરાત પેવેલીયનની લીધી મુલાકાત, વિડિયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો
https://x.com/Bhupendrapbjp/status/1887813958599581792
આ પણ વાંચોઃ US: અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી મામલે હરિયાણામાં કાર્યવાહી, 3 એજન્ટો સામે FIR