
Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે શરણાર્થીઓ પર એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત ધર્મશાળા નથી, તો દુનિયાભરના શરણાર્થીઓને ભારતમાં શા માટે આશ્રય આપવો જોઈએ? આપણે 140 કરોડ લોકો સંઘર્ષ કરી રહ્યા છીએ. આપણે દરેક જગ્યાએથી આવતા શરણાર્થીઓને આશ્રય આપી શકતા નથી. શ્રીલંકાથી આવેલા તમિલ શરણાર્થીઓની અટકાયતના કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપાંકર દત્તાએ આ ટીપ્પણી કરી છે.
શ્રીલંકાના નાગરિકની અટકાયત સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજીમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આ બેન્ચ મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે અરજદારે UAPA કેસમાં લાદવામાં આવેલી 7 વર્ષની સજા પૂર્ણ થયા પછી તરત જ ભારત છોડી દેવું જોઈએ.
શ્રીલંકાના અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે શ્રીલંકન તમિલ છે અને વિઝા પર અહીં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના દેશમાં તેમના જીવને જોખમ છે. અરજદાર લગભગ ત્રણ વર્ષથી કોઈ પણ દેશનિકાલની કાર્યવાહી વિના નજરકેદ છે.
જસ્ટિસ દત્તાએ પૂછ્યું કે તમને અહીં સ્થાયી થવાનો શું અધિકાર છે? વકીલે પુનરોચ્ચાર કર્યો કે અરજદાર શરણાર્થી છે. જસ્ટિસ દત્તાએ કહ્યું કે કલમ 19 મુજબ, ભારતમાં સ્થાયી થવાનો મૂળભૂત અધિકાર ફક્ત નાગરિકોને જ છે. જ્યારે વકીલે કહ્યું કે અરજદારના પોતાના દેશમાં જ જીવ જોખમમાં છે, ત્યારે જસ્ટિસ દત્તાએ તેમને બીજા કોઈ દેશમાં જવા કહ્યું.
તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં, અરજદાર અને અન્ય બે લોકોની LTTE કાર્યકર્તા હોવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018માં અરજદારને UAPA ની કલમ 10 હેઠળના ગુના માટે ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
મદ્રાસ હાઈકોર્ટે 2022 માં તેમની સજા ઘટાડીને એક વર્ષની કરી હતી પરંતુ નિર્દેશ આપ્યો હતો કે તેમણે સજા પછી તરત જ ભારત છોડી દેવું પડશે અને ભારત છોડે ત્યાં સુધી શરણાર્થી શિબિરમાં રહેવું પડશે.
આ પણ વાંચોઃ
Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો
Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી
બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan
કર્નલ સોફિયા પર ટિપ્પણી અંગે Vijay Shah ને સુપ્રીમમાંથી ઝટકો, SIT તપાસ કરશે
Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!
રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition
PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?
અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports
Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?
Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂ