
Indus Water Treaty-Shimla Agreement: પાકિસ્તાનના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલા બાદ દુનિયાભરમાં આતંકવાદની ચર્ચા થઈ રહી છે. પહેલગામમાં થયેલા હુમલામા 26 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ઘણા રિપોર્ટ્સ એવા છે જેમાં 30 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. આ હુમલા બાદ ભારત-પાકિસ્તાનમાં ઘમસાણ મચ્યું છે. આ ઘમસાણ પર દુનિયાની પણ નજર છે. ભારતે પાકિસ્તાનન પર મોટા પ્રતિબંધો લગાવ્યા છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત, વિઝા રદ, પાકિસ્તાની નાગરિકોને ભારતમાંથી હાકી કાઢવા સહિતની કામગીરી કરી છે. જો કે સવાલ એ થઈ રહ્યો છે કે આવુ કરવાથી આતંવાદ ખતમ થશે?
ભારતમાં વર્ષોથી હિંદુ-મુસ્લીમ કરી લોકોને ઝઘડાવાનું કામ થઈ રહ્યું છે. એવામાં તેનો લાભ પાકિસ્તાન લઈ રહ્યું છે. પાકિસ્તાન ભારતની નસ પારખી ગયું છે.
બીજી તરફ પાકિસ્તાનમાંથી ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર જાતે જ હુમલો કરાવી દીધો છે. જે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પુલાવામાં હુમલો થયો હતો. જેમાં દેશના 40 જેટલાં સૈનિકોના મોત થયા હતા. તેમાં પણ સરકાર સામે આગળ ચીંધાઈ હતી. આ સમયે પણ સરકારે આકરા પગલા લઈ સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. તો પછી વર્ષ 2025માં ફરી સ્થગિત કેવી રીતે થાય? સિન્ધુ જળ સ્તગિત માત્ર સરકારની વાતોમાં થઈ છે. જેનો લાભ આ વખતે પાકિસ્તાને ઉઠાવી લોધો છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરતાં પાકિસ્તાનને શીમલા કરાર રદ્દ કરવાનો મોકો મળી ગયો. ભારત હવે શીમલા સંધિ રદ્દ કરતાં પાકિસ્તાનનો વિરોધ નહીં કરી શકે. કારણ કે તેને પણ સામે જવાબ મળશે કે તમે પણ સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે.
હવે પાકિસ્તાન કહી રહ્યું છે, ભારત તરફથી કાર્યવાહીમાં પાકિસ્તાનના એક પણ નાગરિકનું મોત થશે તો કડક પગલા લેવામાં આવશે. ત્યારે આ વીડિયોમાં સમજો, ભારતના નબળા નેતૃત્વ હેઠળ પાકિસ્તાન કેવી ચાલ ચાલી રહ્યું છે?
આ પણ વાંચોઃ
Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી
Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?
મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata High Court
Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત
Gondal માં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, ગાડીના કાચ તોડ્યા