Parliament session: ભારતમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલુ, મોદી વિદેશમાં કેમ ભાગ્યા?

Monsoon session of the Indian Parliament: જવાબદારી અને જવાબો આપવાની પરંપરાને રહેંશી નાંખનાર નરેન્દ્ર દામોદરદાસ મોદી આજે વધુ એકવાર સંસદમાં સવાલોના જવાબ આપવાને બદલે ભાગી ગયા હતાં. છેલ્લાં  11 વર્ષોમાં લગભગ 21 વખત મોદી સંસદના સત્ર દરમિયાન વિદેશ પ્રવાસે ઉપડ્યા છે અને હવે એમાં 22મી વખતનો ઉમેરો થશે. ઉલ્લેખનિય છે કે, સંસદમાં ઓપરેશન સિંદુર વિશે ચર્ચા થવાની છે ત્યારે મોદી આ રીતે ભાગી જાય તે એક રીતે તો સંસદનું અપમાન જ ગણાય.

ભારતમાં સંસદનું મોનસૂન સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થયું છે, જે 21 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. આ સત્ર દરમિયાન વિપક્ષે ઓપરેશન સિંદૂર, રાફેલ વિવાદ અને બિહારની મતદાર યાદીમાં સુધારણા જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. પરંતુ આ મહત્વના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જુલાઈથી 26 જુલાઈ, 2025 દરમિયાન યુનાઇટેડ કિંગડમ (UK) અને માલદીવની વિદેશ યાત્રા પર પહોંચી ગયા છે.

સંસદનું અપમાન?

વિપક્ષનો આરોપ છે કે આજે સત્રના પહેલા દિવસે જ મોદી કોઈ પણ સવાલોનો જવાબ આપ્યા વગર નીકળી ગયા. તેમણે ઓપરેશન સિંદૂરને વિજય ઉત્સવની જેમ ઉજવવાની વાત કરતાં જ વિપક્ષોએ હોબાળો મચાવી દીધો હતો. જેથી મોદી તેમના સવાલોના જવાબ પણ આપવા રહ્યા ન હતા. લોકો આ ઘટનાને સંસદનું અપમાન ગણાવી રહ્યા છે.

 ત્યારે આ મુદ્દે કોંગ્રેસે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ પૂછ્યું, “જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું હોય, ત્યારે વડાપ્રધાને વિદેશ જવાની શું જરૂર હતી?” આ ઉપરાંત, X પરની કેટલીક પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સંસદમાં ઓછું હાજર રહે છે અને જ્યારે જવાબ આપવાનો સમય આવે છે, ત્યારે તેઓ “પાતળી ગલી”માંથી નીકળી જાય છે.

રાહુલ ગાંધીના આરોપ

આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સરકારના મંત્રીઓને સંસદમાં બોલવાનો સમય આપવામાં આવે છે. અમને બોલવા દેવામાં આવતાં નથી. તેઓએ કહ્યું મોદી ગણતરીની સેકન્ડોમાં જ મોદી સંસદમાંથી નીકળી ગઈ છે.

વિપક્ષો આ મુદ્દાઓ પર માગી રહ્યા છે જવાબો

ઓપરેશન સિંદૂર

22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ ઓપરેશનને મોદીએ “વિજયોત્સવ” ગણાવ્યો હતો, પરંતુ વિપક્ષનો આક્ષેપ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 24 વખત દાવો કર્યો કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો, જે શિમલા કરારનું ઉલ્લંઘન છે. વિપક્ષ માંગ કરે છે કે મોદીએ આ અંગે સંસદમાં જવાબ આપવો જોઈએ.

રાફેલ વિવાદ

રાફેલ ફાઈટર જેટની ખરીદી અંગેના વિવાદો ફરી ચર્ચામાં છે. દાવો કરવામાં આવ્યો છે કે આ મુદ્દે સરકાર સંસદમાં ચર્ચા ટાળી રહી છે.

બિહાર મતદાર યાદી

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી “સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન” (SIR) ને વિપક્ષે ગેરબંધારણીય ગણાવી છે. તેમનો આરોપ છે કે આ પ્રક્રિયા દ્વારા ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા લોકોના મતાધિકારને નબળો પાડવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે મોદી પર કટાક્ષ કરતાં કહ્યું, “48 કલાક પછી, સુપર પ્રીમિયમ ફ્રીક્વન્ટ ફ્લાયર ફરી એક વિદેશ યાત્રા શરૂ કરશે, જ્યારે મણિપુરના લોકોને વધુ નિરાશા થશે.” આ ઉપરાંત સોશિયલ મિડિયામાં ચર્ચાઓ થઈ રહી છે કે મોદી સંસદમાં જવાબ આપવાને બદલે “લોકોને તુચ્છ પ્રાણીઓ” ગણે છે, જે લોકતંત્રનું અપમાન છે.

સરકારે આ આરોપોનો જવાબ આપતાં કહ્યું છે કે તે ઓપરેશન સિંદૂર સહિતના મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે સરકાર કોઈપણ વિષયથી બચી રહી નથી, પરંતુ વિપક્ષે સંસદની કાર્યવાહીમાં સહયોગ આપવો જોઈએ. ભાજપના સાંસદ બિપ્લબ કુમાર દેબે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે હંગામો કરીને સંસદની કાર્યવાહીમાં અડચણ ઊભી કરે છે અને પછી દાવો કરે છે કે તેમને બોલવાની તક આપવામાં નથી આવતી.

જુઓ વીડિયોમાં વધુ ચર્ચા

 

પણ વાંચો:

UP: દિયરની રૂમમાંથી આશાવર્કરની અર્ધ નગ્ન લાશ મળી, રેપની આશંકા, પતિના ગંભીર આરોપ, વાંચો

Banda: ગર્ભપાતની દવા ન લઈ આપતાં પત્નીનો આપઘાત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, જાણો ચોકાવનારો કિસ્સો

ભાજપ સરકાર સુધરી જાય, નહીં તો જૈનોને સુધારતા આવડે છે: Muni Ativirji Maharaj

UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ

UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!

Iqra Hassan: સાંસદ ઈકરા હસન કુંવારી, ચાહે તો મારી સાથે લગ્ન કરે, બસ અવૈસી મને જીજા કહે, કરણી સેના ઉપાધ્યક્ષ વિવાદમાં ફસાયા

Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે

Related Posts

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
  • October 27, 2025

Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ…

Continue reading
MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!