
ISRO lightning: દર વર્ષે વરસાદની ઋતુમાં દેશભરમાં અલગ અલગ જગ્યાએથી વીજળી પડવાના કારણે ઘણા લોકો મોતને ભેટે છે. દર વર્ષે વીજળી પડવાથી જાનમાલનું મોટું નુકસાન થાય છે. પણ હવે આવું નહીં થાય. હવે આપણને વરસાદની ઋતુમાં વીજળી ક્યાં પડશે તેની અગાઉથી માહિતી મળશે. ISROએ એક એવી ટેકનોલોજી વિકસાવી છે જેના દ્વારા વીજળી પડવાની આગાહી અગાઉથી જ કરવામાં આવશે.
ભારતીય અવકાશ સંશોધન સંગઠને વીજળી પડવાની આગાહી કરવાની ક્ષમતાને હાંસલ કરી લીધી છે. ઈસરોની આ સિદ્ધિએ સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. ઇસરોએ જણાવ્યું હતું કે ભારતીય ભૂસ્તર ઉપગ્રહોમાંથી ડેટા એકત્રિત કરીને વીજળી પડવાની આગાહી કરવામાં સફળતા મળી છે. આ સિદ્ધિ ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે.
2.5 કલાક પહેલા એલર્ટ મળશે
નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વૈજ્ઞાનિકોએ INSAT-3D ઉપગ્રહમાંથી પ્રાપ્ત થયેલા ‘આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન’માં ખાસ સંકેતોનું અવલોકન કર્યું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે જ્યારે OLR ની ગતિમાં ઘટાડો થાય છે, ત્યારે વીજળી પડવાની શક્યતા વધી જાય છે. નવી ટેકનોલોજી દ્વારા, વીજળીની આગાહી લગભગ 2.5 કલાક અગાઉથી કરી શકાય છે. ઇસરોની આ નવી ટેકનોલોજી આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર મદદ પૂરી પાડશે.
ISRO આ શોધ શું ફાયદો?
ઇસરોની નવી ટેકનોલોજીની મદદથી વીજળી પડવાની શક્યતા હોય તેવા સ્થળોએથી લોકોને અગાઉથી બહાર કાઢી શકાય છે. આનાથી જાન અને માલનું નુકસાન પણ ઓછું થશે. વીજળી પડવાની આગાહી કરવાની શોધ માટે ઈસરોની ટીમે જમીનની સપાટીનું તાપમાન (LST) અને પવન સહિતના પરિબળોની ચકાસણી કરી છે. જેનો એકમાત્ર ઉદ્દેશ્ય તેની આગાહીઓની ચોકસાઈ વધારવાનો હતો. આ નવી ટેકનોલોજીથી હવામાન વિભાગ ક્યાં વીજળી પડવાની છે તેની માહિતી 2.5 કલાક અગાઉથી આપી શકશે.
આ પણ વાંચોઃ RAJKOT: ઈસ્ટાગ્રામ પર છોકરીઓને ફસાવતાં શખ્સને પોલીસે લોન રીકવર અજન્ટ બની ઝડપ્યો, મહિલાઓ સાથેના…
આ પણ વાંચોઃ ડીસામાં થયેલા 21 લોકોના મોત મામલે કયા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર? |DEESA
આ પણ વાંચોઃ ભાજપ સરકાર ઈજ્જત કેમ ખોઈ રહી છે?, ડીસામાં 21 લોકોના જીવ ગયા! | DEESA | GUJARAT|
આ પણ વાંચોઃ Deesa: અગ્નિકાંડ મામલો: પરિવારની સહમતિ વગર મૃતદેહો વતન મોકલી દેવાયા, માતાની વેદના
આ પણ વાંચોઃ જો વક્ફ બીલ સંસદમાં પસાર થશે, તો અમે શાંત બેસીશું નહીં, દેશવ્યાપી આંદોલન કરીશું: AIMPLB