
Jaipur bomb blast 2008: રાજસ્થાનના પાટનગર જયપુરમાં લગભગ 17 વર્ષ પહેલાં થયેલા સતત બોમ્બ વિસ્ફોટો કરાયા હતા. જીવંત બોમ્બ મળવાના કેસમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હવે કોર્ટે આ કેસમાં સજા સંભળાવી છે. જયપુર બોમ્બ વિસ્ફોટના જીવંત બોમ્બના વિસ્ફોટ કેસમાં કોર્ટે ચારેય આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે 600 પાનાનો વિગતવાર ચુકાદો આપ્યો. અગાઉ ખાસ કોર્ટે સૈફુરરહમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી અને શાહબાઝ અહેમદને દોષિત ઠેરવ્યા હતા. હવે ચારેયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
શું બની હતી ઘટના?
13 મે, 2008ના રોજ જયપુરના ચાંદપોલ બજારમાં થયેલા સતત 8 શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો પછી, નવમો બોમ્બ ચાંદપોલ બજારમાં મળી આવ્યો હતો, જે લાઈવ હતો. વિસ્ફોટના 15 મિનિટ પહેલા આ બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 180થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ઘટનાના ચારેય દોષિતોને IPCની 4 કલમો, UAPAની 2 કલમો અને વિસ્ફોટક અધિનિયમની 3 કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં કોંગ્રેસને ભાજપથી ચઢિયાતી બનાવવા અમદાવાદમાં CWCની બેઠક, સત્તા પક્ષ પર ચાબખાં
આ પણ વાંચોઃ આખરે આરોગ્યકર્મીઓએ કેમ હડતાળ સમેટી?, આરોગ્યકર્મીઓ પાછી પાની કરી | Health workers
આ પણ વાંચોઃ Jaipur Hit And Run: કારે રસ્તામાં જે કોઈ આવ્યા તેને કચડી નાખ્યા, બાઈકચાલકને દૂર સુધી ઢસડ્યો, 3ના મોત