
Jamanagar Sucide News: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં માતાએ 4 બાળકો સાથે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે. ભરવાડ પરિવારની એક મહિલા કે જેણે પોતાના નાના 4 માસુમ સંતાનો સાથે કૂવામાં છલાંગ લગાવી સામૂહિક આપઘાત કરી લીધો છે. આપઘાતથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઇ ટોરીયા નામની 32 વર્ષની ભરવાડ મહિલાએ ઘર કંકાસના કારણે ઘર પાસેના કૂવામાં 4 સંતાનો સાથે ઝંપલાવી આપઘાત કરી લીધો છે. મૃતક બાળકોમાં આયુષ (ઉંમર10) આજુ (ઉંમર વર્ષ 8) આનંદી (ઉંમર વર્ષ 4) તેમજ ઋત્વિક (ઉંમર વર્ષ 3)નો સમાવેશ થાય છે. આ ચારેય બાળકોને લઈ મહિલાએ કૂવામાં ઝંપલાવી સામૂહિક આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગોય છે. જ્યારે ભરવાડ પરિવારમાં ગમગીની છવાઈ હતી. આ ઘટના ગઈકાલે બની હતી.
આપઘાતની જાણ થવાથી ગામ લોકોએ એકત્ર થઈને તમામ મૃતદેહોને એક પછી એક પાણીમાંથી બહાર કઢાવ્યા હતા. જે બનાવ અંગે પોલીસને જાણકારી મળતાં ધ્રોલની પોલીસ સુમરા ગામે પહોંચી ગઈ હતી, અને પાંચેય મૃતદેહોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જયાં પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવને લઈને ધ્રોલ પોલીસ દ્વારા પરિવાર તથા અન્ય ગ્રામજનો વગેરેના નિવેદનો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે
આ પણ વાંચોઃ લોકસભા બાદ રાજ્યસભમાં પણ વક્ફ બીલ પાસ, હવે રાષ્ટ્રપતિની સહી જરુરી | Waqf Bill
આ પણ વાંચોઃ લોકસભા બાદ રાજ્યસભમાં પણ વક્ફ બીલ પાસ, હવે રાષ્ટ્રપતિની સહી જરુરી
આ પણ વાંચોઃ SURAT: સતત રત્નકલાકારોના આપઘાત, નાણામંત્રી કનુ દેસાઈ અને સીઆર પાટીલ કેમ ચૂપ? | jewelers Suicide