
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ (Mamata Banerjee) ગુરુવારે દાવો કર્યો હતો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) બાંગ્લાદેશીઓને ઘૂસણખોરીમાં મદદ કરે છે, તેથી બંગાળમાં અશાંતિ ફેલાઈ રહી છે. આ તમામ કેન્દ્ર સરકારનો એજન્ડા છે.
તેમણે કહ્યું કે જો BSF આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે તો તૃણમૂલ કોંગ્રેસ (TMC) તેમનો વિરોધ કરશે. અમે કેન્દ્ર સરકારને આ અંગે ઘણી વખત જણાવ્યું છે. કેન્દ્ર જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. અમે કેન્દ્રને વિરોધ પત્ર પણ મોકલીશું.
બેનર્જીએ કહ્યું- ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે BSF બોર્ડર પર તૈનાત છે, પરંતુ તે બાંગ્લાદેશીઓને ઈસ્લામપુર, સીતાઈ અને ચોપરા બોર્ડરથી ભારતમાં પ્રવેશવાની પરવાનગી આપી રહ્યું છે. BSF પણ મહિલાઓ પર અત્યાચાર કરી રહી છે. જો તેઓ ઘૂસણખોરોને બંગાળમાં પ્રવેશવા દે અને ટીએમસીને દોષી ઠેરવે તો, અમે આવું નહીં થવા દઈએ.
આ પણ વાંચો- શું ચીને HMPV અને કોવિડના કારણે ઇમરજન્સી જાહેર કરી છે?
ગિરિરાજે કહ્યું- બંગાળ સરકારે બાંગ્લાદેશીઓ માટે રેડ કાર્પેટ પાથર્યું.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે ‘નર્સરી’ બની ગયું છે. બંગાળ સરકારે શરૂઆતમાં બાંગ્લાદેશીઓ માટે રેડ કાર્પેટ પાથર્યું અને પછી ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ બાંગ્લાદેશીઓના નામે રાજકારણ કર્યું. આ હાસ્યાસ્પદ છે. આ લોકોએ સમગ્ર દેશની માફી માંગવી જોઈએ.
અભિષેક બેનર્જીએ કહ્યું- બાંગ્લાદેશમાં લઘુમતીઓના જુલમ પર સરકાર ચૂપ છે
TMC સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું- રાજ્ય ભાજપના નેતાઓ દરેક મામલામાં TMC સરકારને દોષી ઠેરવે છે અને વિરોધ કરે છે, પરંતુ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય સમુદાયો પર ચાલી રહેલા અત્યાચાર અંગે મોદી સરકારના અપૂરતા પ્રતિસાદ વિશે વાત કરતા નથી. જો ભાજપના નેતાઓ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા જુલમ અંગે ચિંતિત હોય તો તેઓ દિલ્હીની મોદી સરકારને નક્કર પગલાં ભરવાનું કેમ કહેતા નથી.
આ પણ વાંચો- અડાલજ નજીક બસ-રિક્ષા વચ્ચે ખતરનાક અકસ્માત, એક મુસાફરના ફૂરચે-ફૂરચા