શું આવું બોલીને મંત્રી મનસુખ માંડવિયાએ PM Modiના “મનનું સુખ” બગાડ્યું!!?

  • મોદી સરકારના 10 વર્ષ પછીય તંત્રને કહેવું પડે કે ઢીલી કામગીરી નહીં ચાલે!!
  • જૂનાગઢના મેંદરડા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં મનસુખ માંડવીયાની અધિકારીઓને સૂચના

Junagadh । પ્રધાનમંત્રી મોદી પોતાના લાંબા હાથથી પોતાની પીઢ થપથપાવીને તંત્રને સીધું દોર કરી નાંખ્યું હોવાના બણગાં ફૂકતાં હોય છે. પણ, બાબુશાહીમાં લવલેશ સુધારો થયો નથી એ વાસ્તવિકતા છે. જોકે, ભાજપા સરકાર હંમેશા સીધી રીતે પોતાની નિષ્ફળતાનો સ્વિકાર કરતું નથી. અથવા તો નિષ્ફળતાનો સ્વિકાર કરવાની નૈતિકતા ભાજપીઓમાં છે જ નહીં. આખું વર્ષ મોદીનાં મનની વાતો સાંભળનારા નેતાઓ ભુલથી પોતાના મનની વાત કરી નાંખે છે એવું જ આજે કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાથી કદાચ થઈ ગયું હોય એવું લાગે છે.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આયોજિત તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જાહેર મંચ પરથી અધિકારીઓને કડક સૂચના આપી હતી કે, મજૂર માણસનો એક કાગળ 15 દિવસે અધિકારી સુધી પહોંચે છે, તંત્રની આટલી ઢીલી કામગીરી આ શાસનમાં નહીં ચાલે.

માંડવિયાએ કહ્યું હતું કે, મેં વહીવટી તંત્રને સૂચના આપી છે, જે બાબતે મેં કલેક્ટર સાથે વાત કરી છે. જન પ્રતિનિધિઓને હળવાશથી ના લેશો, જન પ્રતિનિધિ લોકશાહીની અંદર જનતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને વાચા આપનાર માધ્યમ છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારની અપેક્ષા છે, જન પ્રતિનિધિઓ જનતા વચ્ચે ઝુકે. વહીવટી તંત્ર ટાઈટ ચાલે એ આ શાસનની અંદર સંભવ નથી અને હું છું ત્યાં સુધી તો નથી જ, ત્યારે સંવેદનાથી કામ થાય એવી મારી અપેક્ષા છે.

કેન્દ્રિય મંત્રીની સમગ્ર વાત એક રીતે તો ઈશારો છે કે, મોદી સરકાર 10 વર્ષેય તંત્ર પર પૂરી પક્કડ બનાવી શકી નથી. માંડવીયાના શબ્દોમાં એકરીતે તો એકરાર છે કે, મોદીની ડબલ એન્જિન સરકાર વહીવટી તંત્રને સીધો દોર કરી શકી નથી. બાકી, જો બધું મોદી સાહેબના કહેવા પ્રમાણે ચુસ્ત દુરુસ્ત હોય તો આજે માંડવીયાને આવી વાતો કરવાની કોઈ જરૂર રહેત જ નહીં.

માંડવીયા અગાઉ પણ ઘણાં ભાજપી નેતાઓ વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા શહેરોના ભાજપી કાઉન્સિલરો બળાપો કાઢી ચૂક્યાં છે કે વહીવટી તંત્ર તેમને ગાંઠતું નથી. જો બહુમતથી ચૂટાયેલા કાઉન્સિલરને વહીવટી તંત્ર ગાંઠતું ના હોય તો હોંશે હોંશે કમળનું બટન દબાવનારાઓને તો તંત્ર કેટલો ભાવ આપતું હશે?

એકંદરે, ભાજપ સરકાર ગાજરની પૂપુડી વગાડીને કાર્ય સંપન્ન કર્યું હોવાનો ડંકો પીટ્યા કરે છે. બાકી, સત્તા ભૂખ્યાં રાજકારણીઓને બની બેઠેલાં જન પ્રતિનિધિઓને જનતાની સ્હેજેય પડી ના હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે.

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ