પરસેવાથી લથપથ થવા તૈયાર થઈ જાઓ; ગરમીને લઈને હવામાન વિભાગે કરી મોટી જાહેરાત

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments
  • પરસેવાથી લથપથ થવા તૈયાર થઈ જાઓ; ગરમીને લઈને હવામાન વિભાગે કરી મોટી જાહેરાત

રાજ્યના શહેરોમાં ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીનો અહેસાસ થવાનો શરૂ થઈ ગયો છે. તો ગ્રામીણ વિસ્તારમાં પણ બપોરના સમયે પંખા ચાલું કરવા પડી રહ્યાં છે, પરંતુ રાત્રે ગ્રામીણ વિસ્તારમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. પરંતુ શહેરોમાં ગરમી શરૂ થઈ ગઈ છે.

આગામી સમયમાં પરસેવોવાળી દે તેવી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઉચકાઈ જશે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, શિવરાત્રિના દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીએ સોમનાથ તથા જૂનાગઢમાં યોજાનારા ભવ્ય મેળામાં લોકોએ ગરમીમાં શેકાવું પડશે. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર નોંધાયો છે. હજુ પણ આગામી સાત દિવસ વાતાવરણમાં બફારા સાથે ગરમી યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્ય પર હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. આ પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ અરબ સાગરના ભેજને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં બફારાનો અનુભવ થશે.

આગામી 24 કલાક ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત રહેશે ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. લઘુતમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે, એટલે કે ગુજરાતમાં હવે શિયાળાની અસર વર્તાય એની શક્યતા જણાતી નથી.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં 35 ડિગ્રીથી લઈને 37.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વર્તમાન સમયમાં અનુભવાઈ રહ્યું છે. જેમાં શિવરાત્રી પછી બે-ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેથી ગુજરાતમાં સામાન્ય રીતે 40 ડિગ્રી ઉપર ગરમી પહોંચી જશે. તેથી હવે આગામી સમયમાં પરસેવો પાડવા માટે તૈયાર થઈ જશે.

આ પણ વાંચો-Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો

Related Posts

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
  • October 29, 2025

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 7 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 12 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 10 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 24 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 18 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh