
શિક્ષણ જગતને લઈને શિક્ષણ મંત્રાલયે એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે. તો સરકારી શાળાઓથી લઈને પ્રાઇવેટ શાળાઓની પણ મહેનત વધી શકે છે. કેમ કે વિદ્યાર્થીને હવે આગળના ધોરણમાં જવું હશે તો તેને મહેનત કરીને પાસ થવું જ પડશે. અત્યાર સુધી ધોરણ પાંચથી આઠ સુધીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને પણ પ્રમોશન આપીને આગળના ધોરણમાં વધારવામાં આવતા હતા. પરંતુ સરકારે તે પોલિસીમાં ફેરફાર કરી દીધો છે. આમ શાળા-વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓની પણ મહેનતમાં વધારો થઈ શકે છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ ખતમ કરી દીધી છે. આ નિર્ણય મુજબ હવે ધોરણ-5 અને ધોરણ-8ના અસફળ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને પોતે જે ધોરણમાં હતા, તે ધોરણ પાસ કરવા માટે વધુ એક તક અપાશે. આ નવી પોલિસીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના આશયથી ‘નો ડિટેન્શન પોલિસી’ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી અંગે ઘણા વર્ષોથી ચર્ચાઓ ચાલતી હતી, જોકે હવે નવા નિયમ મુજબ ધોરણ-5 અને ધોરણ-8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનારા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને બીજી તક અપાશે
ધોરણ-5 અને ધોરણ-8 માટેના નવા નિયમ મુજબ, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાની તક અપાશે. આ પરીક્ષામાં પણ નાપાસ થશે તો તેમને આગામી ધોરણમાં પ્રમોટ કરવામાં નહીં આવે. આ સાથે સરકારે એવું પણ કહ્યું છે કે, ‘ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.’
વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો કરવા નિર્ણય લેવાયો
શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે કહ્યું કે, વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો થાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે બાળકોમાં શિખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો